બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ શ્રી ચેનજી મહારાજ મંદિરમાં સવા કિલો ચાંદીનું ભાણું અર્પણ કરવામાં આવ્યું છે.વાવ તાલુકાના સેન સમાજના પ્રમુખ મધાભાઈ નાઈ તેમજ મંત્રી અખાભાઈ અને મધાભાઈ દેવકાજી નાઈની હાજરીમાં સણવાલ ગામનાં નરપતભાઈ ધરમાજી નાઈએ શનિવારે ચાંદીનું ભાણું દાન કર્યું છે. જોકે સેનજી મહારાજના મંદિરમાં દર પૂનમે સમાજના લોકો એકઠા થતાં હોય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે. શરદ પૂનમનાં દિવસે નાઈ માદેવભાઈ માનાભાઈ અને નાઈ રામજીભાઈ હેમાભાઈ ભોજન પ્રસાદના દાતા રહ્યા હતા. જોકે દર પૂનમે નાઈ સમાજના લોકો પ્રસાદનો લાભ લેતાં હોય છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદરા, બનાસકાંઠા)
previous post
next post