Aapnu Gujarat
गुजरात

બનાસકાંઠા જિલ્લામાં લાખણી થી ગેળા સુધી ભાજપની પદયાત્રા યોજાઈ

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫છ કેન્દ્ર સરકાર દ્વારા કલમ નાબુદ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો અને સમગ્ર દેશના લોકોએ આ નિર્ણયને ખુશી મનાવી વધાવી લીધો હતો. આ નિર્ણયના સમર્થનમાં આજે ભાજપની પદયાત્રા યોજાઇ હતી જેમાં લાખણી થી ગેળા હનુમાનજીના મંદિર સુધી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ પદયાત્રામાં ભાજપના કે.સી.પટેલ, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, કેશાજી ચૌહાણ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ આ પદયાત્રામાં જોડાયા હતાં.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

ચોરીના મામલામાં પ્રવાસીને વ્યાજ સાથે વળતરનો આદેશ : અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક ફોરમનો ચુકાદો

aapnugujarat

ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામને તોડી પડાયું

aapnugujarat

बानाखत के रजिस्ट्रेशन के लिए अब ‘रेरा’ सर्टिफिकेट अनिवार्य

aapnugujarat

Leave a Comment

UA-96247877-1