Aapnu Gujarat
Uncategorized

ચોટીલા પંથકમાં મુખ્યમંત્રીના જન્મ દિવસે 65 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ પ્રસંગે ચોટીલા શહેર તથા આ તાલુકા ના ગ્રામ્યવિસ્તારો માં 65 હજાર વિવિધ વૃક્ષો નું વાવેતર કરવાનો કાર્યક્રમ રાજ્ય ના યુવક બોર્ડ ના સંયોજકો દ્વારા યોજવામાં આવ્યો છે.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના જન્મ દિવસ પ્રસંગે તા.2 ઓગસ્ટે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના સંયોજકો દ્વારા ચોટીલા શહેર તથા આ તાલુકા ના વિવિધ ગ્રામ્યવિસ્તારો માં 65 હજજાર વૃક્ષો ના વાવેતર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ચોટીલા નગરપાલિકા ના વોર્ડ વિસ્તારો સહિત આ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ની વિવિધ શાળાઓ સહિત ની વિવિધ જગ્યાઓ માં વિવિધ પ્રકાર ના વૃક્ષો નું વાવેતર કરવાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના સંયોજકો દેવરાજભાઇ ચૌહાણ , જીનેન્દ્રભાઇ શાહ સહિત ના અન્ય કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

વંદના નીલકંઠ વાસુકિયા- વિરમગામ

Related posts

વેરાવળની દિકરી ચીફ ઓફિસર બનતા સન્માન કરાયુ

aapnugujarat

લીંબાળી ગામમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

editor

રાજકોટમાં સગા ભાઇઓએ બહેનને ઝેર પીવડાવી મારી નાખી, બારોબાર અગ્નિસંસ્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1