અમદાવાદ ખાતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નું 64મુ રાષ્ટ્રીય અધિવેશ તારીખ 27 થી 30 ડિસેમ્બર સુધી ચાલી રહ્યું છે ત્યારે તેની સાથે એબીવીપીના સ્થાયી કાર્યકર્તાઓનુ સંમેલન યોજાયું હતુ. દિનેશ હોલ અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ એ.પી. કોહલીજી, એબીવીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલજી, ક્ષેત્રીય પ્રચારક સુરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, પ્રદિપસિંહ વાઘેલા સહિત એબીવીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાના એબીવીપી પ્રમુખ તેજશભાઇ વજાણી, રસિકભાઇ કોળી પટેલ, સુરેશભાઈ કોળી પટેલ સહીત વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લા ના સ્થાયી કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા
previous post