Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

ખેડુતોને દેવા માફીના નામે દગો આપી રહી છે કોંગ્રેસ : જાવડેકર

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પોતાના શાસન વાળા રાજ્યોમાં ખેડુતોને દગો આપી રહી છે અને તેમણે કોંગ્રેસ પાર્ટીને ખેડુત વિરોધી પાર્ટી ગણાવી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કોંગ્રેસે પાંચ રાજ્યો કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં તમામ કૃષિ દેણુ માફ કરવાનું વચન આપ્યું હતું પરંતુ તે પોતાના વાયદાથી પલટી ગઈ છે.પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં ૪૫ હજાર કરોડ રુપિયાનું કૃષી ઋણ માફ કરવાનો વાયદો કર્યો હતું પરંતુ ૭૫ કરોડ રુપિયાની ચૂકવણી ન કરવામાં આવી.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે દેવામાં ડૂબેલા ખેડુતો ચિંતામાં છે અને તેમને બેંકો નોટિસ મોકલી રહી છે.તો આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે વડાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતોની આવક બે ગણી થઈ જશે પરંતુ હવે ચૂંટણી આવવાની છે અને ખેડુતોની આવકમાં કોઈ વધારો થયો નથી. ઉદ્ધવે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે હકીકતમાં ચૂંટણી ટાણે કરવામાં આવેલો માત્ર એક વાયદો હતો. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વડાપ્રધાન પાસે અન્ય દેશમાં જઈને ચહેરો ચમકાવવાનો સમય છે પરંતુ તેમની પાસે મહારાષ્ટ્રના ખેડૂતો પાસે જવાનો સમય નથી.

Related posts

8 करोड़ लोगों के PF पर लग सकता है झटका

aapnugujarat

राम मंदिर केस में अब कोई सुनवाई नहीं, मामला ख़तम : सुप्रीम

aapnugujarat

ममता के भतीजे अभिषेक ने कहा- कम हो गई राम की टीआरपी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1