Aapnu Gujarat
मनोरंजन

ભારત-પાક.ના તંગ સંબંધને લઇને માહિરા ચિંતિત

પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધના કારણે હેરાન છે. તેનુ કહેવુ છે કે આના કારણે કલાકારો પણ પરેશાન થયેલા છે. પાકિસ્તાની કલાકારો પર હાલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે કલાકારો પર હાલમાં ભારતમાં મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે પરેશાન છે. તેનુ કહેવુ છે કે કલાકારો પર પ્રતિબંધની બાબત બિલકુલ યોગ્ય નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં પ્રવેશ કરવાની ક્યારેય ઇચ્છા ધરાવતી ન હતી. માહિરા ખાને કહ્યુ છે કે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તે ઇચ્છુક ન હતી. જો કે સંજોગથી તે પ્રવેશી ગઇ હતી. રઇસ ફિલ્મ બાદ તે કેટલીક ફિલ્મો કરી રહી છે. માહિરા ખાનનુ કહેવુ છે કે તે હમેંશા પાકિસ્તાની ફિલ્મોને લઇને જ પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક પાકિસ્તાની કલાકારો પ્રતિબંધના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. માહિરા ખાન બોલિવુડમાં પ્રવેશી ત્યારે તેની પાસેથી જોરદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે તે વિવાદમાં આવી ગઇ હતી. પાકિસ્તાની કલાકાર ફવાદ છેલ્લે કરણ જોહરની ફિલ્મ દે દિલ હે મુશ્કેલીમાં નજરે પડી હતી. માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. હિન્દી ફિલ્મોમાં તેની પાસે કઇ ફિલ્મ છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. માહિરાએ રણબીર સાથે સંબંધ અંગે કોઇ વાત કરી નથી. સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેની રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાત દિન મોહબ્બત ઇન જુન ૨૦૧૮માં રજૂ કરાશે. બીજી પણ કેટલીક પાકિસ્તાની ફિલ્મ હાથમાં ધરાવે છે. સાત દિન મોહબબ્ત ઇન નામની ફિલ્મમાં તેની સાથે શહેરયાર મુનાવર નજરે પડનાર છે.

Related posts

Kamal Haasan resumes shoot for ‘Indian 2’

aapnugujarat

એશ સરોગેટ મધર બનવાની તૈયારીમાં

aapnugujarat

सुशांत केस : बिहार के अधिकारी को बीएमसी ने किया क्वारंटीन, सीएम नीतीश बोले – जो हुआ वो ठीक नहीं

editor

Leave a Comment

UA-96247877-1