Aapnu Gujarat
गुजरात

શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ ડીસા ખાતે સન્માન સમારોહ યોજાયો

ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ ખાતે ભાદરવી પૂનમના પદ યાત્રિકો માટે દાંતા રતનપુર ખાતેના સૌથી મોટા સેવા કેમ્પ જય જલીયાણના આયોજક હિતેશ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તેઓનું પુષ્પગુચ્છ, શાલ, ભગવતગીતા અને સન્માનપત્ર આપી આવકારવામાં આવ્યા હતા અને તેમની સેવાને શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ પરિવારે બિરદાવી હતી. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કરેલી સેવા કાર્યને બિરદાવી હતી તેમજ તેમની અનોખી સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં કોલેજનાં આચાર્ય ડૉ.ટીના સોની, પ્રો. પ્રફુલ્લ પટેલ, પ્રો. નિરવ પરમાર, પ્રો. અમિત સોલંકી, પ્રો.જયેશ ઠક્કર, પ્રો. સોનલ પ્રજાપતિ, ગ્રંથપાલ મહેશ ચૌધરી તથા ક્લાર્ક અશોક ચૌધરી તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જય જલીયાણ સેવા કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને ખુબ જ મોટા પ્રમાણમાં માઈ ભક્તો આ કેમ્પનો લાભ લે છે.

(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

સૂરત : વધુ ત્રણ એરલાઇન્સ ફલાઇટ શરુ કરવા તૈયાર, ઓગસ્ટથી થઈ શકે શરુઆત

aapnugujarat

હોટલના સ્ટાફને પટ્ટા વડે મારવાનાં કેસમાં બોપલના ચાર કોન્સ્ટબલની ધરપકડ

aapnugujarat

અમદાવાદ જિલ્લામાં રોકાણકર્તા ઉદ્યોગકારો સાથે કલેકટરની બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1