Aapnu Gujarat
खेल-कूद

ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર ગેઇલે કર્યો મોટો ખુલાસો

દુનિયાના સૌથી વિસ્ફોટક બેટસમેન ક્રિસ ગેઇલે ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર મોટો ખુલાસો કર્યો છે.

ગેઇલે નિવેદન આપતા કહ્યું છે કે, તેનો હજી સુધી ક્રિકેટ છોડવાનો કોઇ ઇરાદો નથી.ગેઇલે કહ્યું કે, જો સંન્યાસ લેવાનો નિર્ણય મારા પર હોત તો હું ક્રિકેટ ક્યારનો છોડી દેતો. પરંતુ, પ્રશંસકો મને રમતા જોવાનું પસંદ કરે છે અને જ્યારે મારા પ્રશંસકો મને ક્રિકેટ છોડવા માટે કહેશે ત્યારે હું ક્રિકેટ રમવાનું છોડી દઇશ.

ગેઇલે કહ્યું કે, હું ૨૦૧૯ અને ૨૦૨૧ ના ટ્‌વેન્ટી-૨૦ વિશ્વ કપ રમવા ઇચ્છુ છુ. હું મારી ફિટનેસ પર સતત કામ કરી રહ્યો છુ. હું ઇચ્છુ છુ કે તમામ મહત્વના ખેલાડીઓની ટીમમાં વાપસી થાય.

ભારતીય ટીમ સામે વન ડે સિરીઝ હારવા પર ગેઇલે કહ્યું કે, ભારતનું પલડુ વેસ્ટઇન્ડિઝ પર ભારે રહ્યું છે. તેની ટીમમાં કોઇ કમી નથી અને તે એક મજબૂત ટીમ છે. ગેઇલનું માનીએ તો ભારતે હમેશાથી વેસ્ટઇન્ડિઝ સામે સારો દેખાવ કર્યો છે.

Related posts

શાકિબ અલ હસને એમ્પાયર પર ગુસ્સો કરતા આઈસીસીએ ફટકારી સજા

aapnugujarat

કુલદીપ યાદવે ટી૨૦ રેંકિંગમાં મેળવ્યો કરિયરનો શ્રેષ્ઠ ક્રમાંક

aapnugujarat

પેટ્રા ક્વીટોવા ખૂબ ઝડપથી રિકવર : રમવા માટે તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1