Aapnu Gujarat
मनोरंजन

પ્રાણીઓના રક્ષણના કાયદા કડક બનાવોઃ સિદ્ધાર્થ મલ્હોત્રાની પીએમ મોદીને અપીલ

બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ પ્રાણીઓના રક્ષણ માટેના કાયદાઓને વધારે કડક બનાવે અને જે લોકો પ્રાણીઓ પર ક્રૂરતા આચરે એમને વધારે કડક પેનલ્ટી ફટકારવામાં આવે એવી વિનંતી પણ કરી છે.
સિદ્ધાર્થે આ પત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ વતી લખ્યો છે.સિદ્ધાર્થે પત્રમાં એવો નિર્દેશ કર્યો છે કે ભારતમાં ૧૯૬૦ની સાલમાં ઘડાયેલા કાયદા પ્રીવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં બહુ ઓછી પેનલ્ટી છે. જેમ કે, પ્રાણી પર અત્યાચારનો પહેલી વાર ગુનો કરનારને વધુમાં વધુ રૂ. ૫૦નો દંડ છે.સિદ્ધાર્થનું માનવું છે કે પ્રાણીઓ પર ક્રૂરતા દાખવનારાઓને જો જેલની સજા કરાય અને દંડ પણ મોટી રકમનો વસૂલ કરાય તો આ પ્રકારના ગુનાઓ ઘટી જશે.મુંબઈ – બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ પ્રાણીઓના રક્ષણ માટેના કાયદાઓને વધારે કડક બનાવે અને જે લોકો પ્રાણીઓ પર ક્રૂરતા આચરે એમને વધારે કડક પેનલ્ટી ફટકારવામાં આવે એવી વિનંતી પણ કરી છે.સિદ્ધાર્થે આ પત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ વતી લખ્યો છે.સિદ્ધાર્થે પત્રમાં એવો નિર્દેશ કર્યો છે કે ભારતમાં ૧૯૬૦ની સાલમાં ઘડાયેલા કાયદા પ્રીવેન્શન ઓફ ક્રૂએલ્ટી ટુ એનિમલ્સ એક્ટમાં બહુ ઓછી પેનલ્ટી છે. જેમ કે, પ્રાણી પર અત્યાચારનો પહેલી વાર ગુનો કરનારને વધુમાં વધુ રૂ. ૫૦નો દંડ છે.સિદ્ધાર્થનું માનવું છે કે પ્રાણીઓ પર ક્રૂરતા દાખવનારાઓને જો જેલની સજા કરાય અને દંડ પણ મોટી રકમનો વસૂલ કરાય તો આ પ્રકારના ગુનાઓ ઘટી જશે.

Related posts

નિતેશ તિવારીની આગામી ફિલ્મમાં વરૂણ રહેશે

aapnugujarat

અજ્ય દેવગનની રામદેવની શોધ પૂર્ણ થઇ

aapnugujarat

રેસ-૩ ફિલ્મ મળતા સેક્સી ડેઝી શાહ સંતુષ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1