ભારતીય ઝડપી બોલર ટી નટરાજનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નટરાજન ઇજાને કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયેલા ઉમેશ યાદવની જગ્યા લેશે. યાદવ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇજાગ્રસ્ત થયો હતો. તેને પગમાં ઇજા પહોંચતાં સીરિઝમાંથી બહાર થયો હતો.સિલેક્શન કમિટીએ શુક્રવારે યાદવના રિપ્લેસમેન્ટ તરીકે ટી નટરાજનને ટીમમાં સામેલ કર્યો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલાં શાર્દુલ ઠાકુરને મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં સામેલ કરાયો હતો.
શમીને પ્રથમ ટેસ્ટમાં બેટિંગ દરમિયાન કાંડામાં ઇજા પહોંચી હતી. શમી અને યાદવ બન્ને ઇજાને કારણે રિહેબ માટે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી જશે. ઉપરાંત રોહિત શર્મા ક્વોરન્ટીન પૂરું કરું ભારતીય ક્રિકેટ ટીમ સાથે મેલબોર્નમાં છે.
ભારતીય ટેસ્ટ ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી સાવ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, નવદીપ સેની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર, ટી.નટરાજન