Aapnu Gujarat
खेल-कूद

ભારત વિરુદ્ધ અગાઉની સિરીઝ હારનો બદલો લેવાની મોટી તક : એનગિડિ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીનું કહેવું છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની વિરુદ્ધ મેચ તેમના માટે બદલો લેવાની તક હશે. તેણે કહ્યું કે તે આ મેચને જૂની હારનો ભાર ઉતારવા તરીકે જુવે છે. વર્ષ ૨૦૧૮માં ભારતે દક્ષિણ આફ્રિકાને તેના ઘરમાં જ ૫-૧થી હરાવી દીધું હતું. એનગિડીના મનમાં હજુ આ હારનું દર્દ છે. તેણે કહ્યું કે, મને લાગે છે કે તેમનો આપણા પર દેવું બાકી છે.
એનગિડીએ કહ્યું કે, હું ભારત સાથેની મેચને લઈને ઘણો ઉત્સુક છું. જ્યારે તેઓ અહીં આવ્યા હતા તો તેઓએ અમારી વિરુદ્ધ સારું પ્રદર્શન કર્યું હતું. તેથી મારા મગજમાં આ વાત ચાલી રહી છે કે તેમને જવાબ આપવો છે. મારા માટે આ ઘણી એક્સાઇટિંગ મેચ હશે. મને આશા છે કે બાકી તમામ માટે આ મેચ આવી જ હશે.
એનગિડીએ ચેતવણી આપી છે કે સમગ્ર તાકાતથી સજ્જ પ્રોટીજ ટીમ કડક ટક્કર આપશે. તેણે કહ્યું કે ભારત એક મહાન ટીમ છે, તેની પાસેથી આ વાત છીનવી ન શકાય. પરંતુ જ્યારે તેઓએ દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સીરીઝ જીતી હતી ત્યારે કેટલાક પ્લેયર બહાર હતા. હવે તે પ્લેયર પરત આવી ગયા છે, જોઈએ છીએ આગળ શું થાય છે.

Related posts

ભદ્રવાડી ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

aapnugujarat

હવે ક્રિકેટર સમીની પત્નીનું પત્રકારો સાથે ખરાબ વર્તન

aapnugujarat

कप्तान कोहली की बदौलत मिली हैं हैटट्रिक : बुमराह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1