ફરાર થયેલા શરાબ કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણની માંગણીને બ્રિટીશ સરકારે મંજુર કરી દીધી હોવાના અહેવાલ મળ્યા છે. આ મંજુરી બાદ બ્રિટીશ સરકારે આ માંગને હવે વેસ્ટ મિનસ્ટર કોર્ટની સમક્ષ રજુ કરી દીધી છે. દેશની અનેક સરકારી બેંકો પાસેથી આશરે નવ હજાર કરોડ રૂપિયાની લોન લઈને લોનની રકમ નહીં ચૂકવનાર ફરાર વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો જારી રાખ્યા છે. ભારત સરકારે બ્રિટન સરકારને પણ આ સંદર્ભમાં તમામ રજુઆતો કરી છે. વિદેશ મંત્રાલયે આજે માહિતી આપતા કહ્યું હતું કે બ્રિટન સરકારે કહ્યું છે કે માલ્યાના પ્રત્યાર્પણની માંગણીને વેસ્ટ મિનસ્ટર કોર્ટને મોકલી દેવામાં આવી છે. વેસ્ટ મિનસ્ટર ડિસ્ટ્રીક્ટ જજ માલ્યાના નામે વોરંટ જારી કરવાના મામલામાં નિર્ણય કરશે. ભારત સરકારની માંગણીને બ્રિટીશ સરકરા તરફથી મંજુરી મળી ગયા બાદ હવે કોર્ટની સમક્ષ આ માંગ મોકલવામાં આવી છે. મંત્રાલયના કહેવા મુજબ ૧૭મી ફેબ્રુઆરીના દિવસે જ બ્રિટન સરકારે ગૃહ મંત્રાલયને કહ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણની માંગણીને લઈને વિદેશ મંત્રાલય દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. વિજય માલ્યા છેલ્લા ઘણા સમયથી ફરાર થયેલા છે અને બ્રિટનમાં હાલ રોકાયેલા છે. ધરપકડને ટાળવા માટેના તમામ પ્રયાસ તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા માલ્યાના પ્રત્યાર્પણને લઈને વારંવાર રજુઆત કરવામાં આવી ચુકી છે. વિરોધ પક્ષો પણ માલ્યાને બચાવવાનો આક્ષેપ મોદી સરકાર ઉપર સતત કર્યો છે. આવી Âસ્થતિમાં જા માલ્યાને પ્રત્યાર્પણ કરીને ભારત લાવવવામાં સફળતા મળશે તો આ પણ એક મોટી સિદ્ધિ તરીકે રહેશે. વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈને હવે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા કરવામાં આવશે.
આભાર – નિહારીકા રવિયા