આરોગ્ય રાજયમંત્રી શંકરભાઈ ચૌધરીએ રાજય વિધાનસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોÂસ્પટલમાં રાજય સરકારે અદ્યતન ટ્રોમા સેન્ટરના નિર્માણ માટે આયોજનબદ્ધ ખર્ચ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક ટ્રોમા સેન્ટરમાં દર્દીની અતિ નાજુક Âસ્થતિમાં તાત્કાલિક સારવાર મળે તે માટે આ ડ્રોમા સેન્ટરમાં છઠ્ઠા માળે હેલિપેડ બનાવી હેલિકોપ્ટર લેન્ડીંગ કરી શકાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે. મંત્રીએ જણાવ્યું છે કે, રાજયના પ્રત્યે નાગરિકને શ્રેષ્ઠ સારવાર, યોગ્ય સમયે પ્રાપ્ત થાય તે માટે રાજય સરકારે પૂરતું આયોજન કર્યું છે. ૩૦૪૦૦ ચો.મીમાં તૈયાર થનારા આ અત્યાધુનિક ટ્રોમા સેન્ટર માટે ૧૨૫ કરોડના ખર્ચનો અંદાજ છે અને અત્યાર સુધીમાં ૮૯.૬૩નો ખર્ચ કરાયો છે. ૮૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આ ટ્રોમા સેન્ટરમાં ત્રણ માળનું બાંધકામપૂર્ણ કરાયું છે. ચાર ઓપરેશન થિયેટર સાથે આ ટ્રોમા સેન્ટર કાર્યરત થઈ ગયું છે. બાકીના બાંધકામની કામગીરી પ્રગતિમાં છે. વિધાનસભા ખાતે રાજય આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ છેલ્લા એક વર્ષમાં ૧,૫૫,૧૪,૨૩૬ બાળકોની તપાસ કરવામાં આવી છે અને જણાવ્યું કે, રાજયના દરેક બાળકની આરોગ્ય ચકાસણી કરવા માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે. આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજય આરોગ્યમંત્રીએ ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, આ તપાસ દરમિયાન Ìદયરોગ માટે યુએન મહેતા ઈન્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ, કિડની રોગ માટે ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસ અને રીસર્ચ સેન્ટર અમદાવાદ અને એમપી શાહ કેન્સર હોÂસ્પટલ અમદાવાદ ખાતે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજય આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે, તા. ૩૧-૧૨-૨૦૧૬ની Âસ્થતિએ રાજયમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ૧૫૪૯ સીટો છે. આરોગ્યમંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન પુછવામાં આવેલા લેખિત પ્રશ્નો પ્રત્યુત્તર આપતા વધુમાં ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં એટલે કે ૨૦૧૫-૧૬માં ૨૬ બેઠકો અને ૨૦૧૬-૧૭માં ૩૮ એમ મળીને કુલ ૬૪ બેઠકોનો વધારો થયેલ છે.
આભાર – નિહારીકા રવિયા