જિલ્લા રોજગાર કચેરી – નર્મદા (રાજપીપલા) દ્વારા આઇ.ટી.આઇ. રાજપીપલા ખાતે તાજેતરમાં યોજાયેલા ઓરીએન્ટેશન કાર્યક્રમને ખૂલ્લો મૂકી હાજર રહેલા ૧૧૦ જેટલા ઉમેદવારોને જિલ્લા વિકાસ અધિકરીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી એ. એન. ચૌધરીએ ટેકનિકલ ક્ષેત્રે રોજગારીની તકો અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ પૂર્વ ભરતી સંરક્ષણ અંતર્ગત વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગમાં એક માસની તાલીમ અંગે શારિરીક અને માનસિક કસોટી અંગેની જાણકારી આપી આર્મી, પોલીસ, એરફોર્સમાં જોડાવવા અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રોજગાર કચેરીની કામગીરી ઔદ્યોગિક ભરતીમેળા, સ્વરોજગાર શિબીર, તાલીમ રોજગાર પોર્ટલ તથા NCS પોર્ટલ અંગે સંપુર્ણ માર્ગદર્શન પુરૂં પાડવા સાથે કેરીયર કાઉન્સેલરશ્રી ગુંજનકુમાર સોની અને શ્રી કલ્પેશકુમાર ચૌધરી દ્વારા ઓનલાઇન નોંધણી તેમજ કારર્કિદી વિશે માર્ગદર્શન અપાયું હતું. તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંશોધન અધિકારીશ્રી વિશાલભાઇએ સ્વરોજગાર શિબિર અંગે જરૂરી જાણકારી આપી હતી.