Entertainment

રણવીર અને દિપિકા વચ્ચે બ્રેક અપના અહેવાલ ખોટા

રણવીર સિંહ અને દિપિકા વચ્ચે બ્રેક અપના હેવાલની વચ્ચે હવે એવા હેવાલ આવ્યા છે કે પબ્લિસિટી સ્ટન્ટના ભાગરૂપે બ્રેક અપના ેહેવાલ વહેતા કરવામાં આવ્યા હતા. રણવીર સિંહના હાલના એક નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે કે તેમની વચ્ચે કોઇ બ્રેક અપની સ્થિતી હાલમાં નથી. પદ્માવતના પ્રમોશનને લઇને પણ થોડાક દિવસ પહેલા દેખાયા હતા. હાલમાં દરેક જગ્યાએ બન્ને સાથે નવજરે પડે છે. બન્ને વચ્ચે ખુબ સારી કેંમિસ્ટ્રી જોવા મળી રહી છે. સંજય લીલાની નવી ફિલ્મ પદ્માવત આ બન્ને હાલમાં સાથે કામ કરી ચુક્યા છે. ફિલ્મમાં દિપિકા પદ્માવતિની ભૂમિકા અદા કરી રહી છે. જ્યારે ફિલ્મમાં તેના પતિની ભૂમિકામાં શાહિદ કપુર નજરે પડ્યો હતો. જે રાજા રતનસિંહની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે. રણવીર ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં રહ્યો છે. તે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરીને તમામને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં એવા હેવાલ આવ્યા હતા કે બન્ને વચ્ચે બ્રેક અપની સ્થિતી છે. સંબંધોમાં તિરાડ પડી હોવાના હેવાલ આવ્યા હતા. જો કે હવે જાણવા મળ્યુ છે કે તમામ હેવાલ જાણી જોઇને વહેતા કરવામાં આવ્યા હતા.
નવી ફિલ્મ પદ્માવતમાં બન્નેના કોઇ સાથે સીન નથી. જો કે ફિલ્મના ક્રુ લોકો પણ કોઇ ટિપ્પણી કરવા માટે તૈયાર નથી. તેમની વચ્ચે કોઇ બ્રેક અપની સ્થિતી નથી. હવે ક્રુ મેમ્બરો પણ કહી રહ્યા છે કે તેમની વચ્ચે કોઇ મતભેદ નથી. છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે મતભેદો હોવાના હેવાલ આવી રહ્યા હતા. દિપિકા પાસે હાલમાં અનેક ફિલ્મ છે. રણવીર પણ કેટલાક નિર્માતા નિર્દેશકોની ફિલ્મ ધરાવે છે. આવી સ્થિતીમાં બન્ને હાલમાં ખુબ વ્યસ્ત થયેલા છે.

Related posts

जिंदगी दूसरों के लिए नहीं अपने लिए जिएं : प्रियंका

aapnugujarat

ઐશ્વર્યા એક વર્ષ સુધી ૧૦૦૦ ગરીબ બાળકોને જમાડશે

aapnugujarat

હૉટ અને સેક્સી ન હોવાને કારણે સૈફે અમૃતાને છોડી દીધી હતી

aapnugujarat

Leave a Comment