પાનીયા વસાહતમાં નર્મદા યોજનાથી અસર પામેલા અસરગ્રસ્તોને વસાવવામાં આવ્યા છે. આ વસાહતમાં કુલ ૫૬ અસરગ્રસ્ત કુટુંબોની ૨૨૪ જેટલી માનવ વસતિ વસવાટ કરે છે. આ વસાહતમાં પીવાના પાણી માટે દરરોજ ૫૦૦૦ લીટર પાણી ટેન્કર દ્વારા વસાહતમાં પુરૂ પાડવામાં આવે છે. વધુમાં વસાહતમાં પીવાના પાણી માટે હાલમાં એક બોર અને બે હેન્ડપંપ કાર્યરત છે પરંતુ તેનું પાણી પીવાલાયક ન હોવાથી તેનો ઉપયોગ પીવા સિવાય પશુઓ માટે થાય છે. આમ વસાહતમાં પીવાના પાણી માટે કે અન્ય વપરાશ માટે પાણીની કોઇ તકલીફ નથી અને પુરૂતુ પાણી મળી રહે છે એમ અધિક્ષક ઇજનેર નર્મદા યોજના વર્તુળ-૧ની યાદીમાં જણાવાયુ છે.