સરકારી ક્ષેત્રની દિગ્ગજ બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના ગ્રાહકોએ સ્પષ્ટ કર્યું છે કે, નાના બચત ખાતા, બેસિક સેવિંગ્સ એકાઉનટ્સ, જનધન એકાઉન્ટ અને કોર્પોરેટ સેલરી એકાઉન્ટ ધારકોને ન્યૂનતમ બેલેન્સ મેઈનટેઈન કરવાની જરૂર નથી. SBI એ આ જાણકારી ટ્વીટનાં માધ્યમથી આપી છે. બેંકે ૧ એપ્રિલથી સેવિંગ એકાઉન્ટમાં મીનીમમ બેલેન્સ સીમાને વધારી દીધી છે.
SBI એ મેટ્રો શહેરો માટે મીનીમમ બેલેન્સ ૫,૦૦૦ રૂપિયા, શહેરી વિસ્તારો માટે ૩,૦૦૦ રૂપિયા, સેમી-અર્બન વિસ્તારો માટે ૨,૦૦૦ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારો માટે ૧,૦૦૦ રૂપિયા નક્કી કરી હતી. જે ૧ એપ્રિલથી લાગુ થઇ ચુકી છે. તમને જણાવી દઈએ કે, આ દંડ જરૂરી મીનીમમ બેલેન્સ અને તેમાં ઘટાડાની વચ્ચે અંતર પર આધારિત હશે.
બેંકની વેબસાઈટ મુજબ SBI નાં બચત ખાતાધારકોને માસિક આધારે ન્યૂનતમ રકમને પોતાના ખાતામાં રાખવાનું રહેશે. એવું ન કરવા પર ગ્રાહકોને ૨૦ રૂપિયા (ગ્રામીણ શાખા) થી ૧૦૦ રૂપિયા (મહાનગર) આપવા પડી શકે છે. બેંકમાં ૩૧ માર્ચ સુધી ચેકબુક વાળા બચત ખાતામાં ૫૦૦ રૂપિયા અને ચેક બુકની સુવિધા સાથે ૧,૦૦૦ રૂપિયા રાખવાની આવશ્યકતા હતી.
SBI નાં ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, ન્યૂનત્તમ બેલેન્સનાં નિયમોમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. તેઓએ આ સ્પષ્ટ કર્યું છે કે, ૫,૦૦૦ રૂપિયાનું મીનીમમ બેલેન્સ માત્ર ૬ મહાનગરો માટે છે. શહેરી ક્ષેત્રો માટે આ રકમ ૩,૦૦૦ રૂપિયા, સેમી-અર્બન ક્ષેત્રો માટે ૨,૦૦૦ રૂપિયા અને ગરમીન ક્ષેત્રો માટે ૧,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.