ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુ વિવાહ પર સુપ્રીમ કોર્ટમાં ૫ જજોની પીઠે સુનવણી શરૂ થઇ ગઇ છે. ૧૦ દિવસ સુધી ચાલનારી આ સુનવણીમાં એવું નક્કી કરવામાં આવશે કે ટ્રિપલ તલાક ધર્મનો ભાગ છે કે નથી. આ વચ્ચે કોર્ટે ત્રણ તલાકની વિરુદ્ધ અરજી આપનાર લોકો અને પક્ષમાં બોલનાર લોકોની કથિત રીતે નિર્દેશ આપ્યા છે.કોર્ટે કહ્યું કે જો આ ધર્મનો ભાગ હશે તો એમાં દખલ કરીશું નહીં, પરંતુ જો આ ધર્મનો ભાગ નથી તો એના પર સુનવણી ચાલુ રહેશે. સાથે એવું પણ નક્કી કરવામાં આવશે કે કાયદામાં આપવામાં આવેલા મોલિક અધિકારોમાં એનું સ્થાન છે કે નહીં. એટલા માટે બંને પક્ષોએ પોતાની દલીલો આપવી પડશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોર્ટે બહુ વિવાહનો મુદ્દો ઊઠાવવા પર કોર્ટે એના માટે સુનવણી કરવાની સ્પષ્ટપણે ના પાડી દીધી છે.
ચીફ જસ્ટિસ જેએસ ખેહરની આગેવાની વાળી આ સંવિધાન પીઠમાં જસ્ટિસ કુરિયન જોસફ, જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમન, જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ અબ્દુલ નધીર છે. નોંધનીય વાત તો એ છે કે આ પીઠના પાંચ સભ્યો અલગ અલગ ધર્મના છે.
નોંધનીય છે કે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇને ઉનાળાના વેકેશનમાં આ મુદ્દા પર સુનવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંવિધાન પીઠ આ બાબતને લઇને સાત અરજી પર સુનવણી કરશે. સાથે આ બાબતે અર્ટોની જનરલ મુકુલ રોહતગી અને વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદ પણ સંવિધાન પીઠને મદદ કરશે.
જાણવા મળ્યું છે કરે ગત દિવસોમાં આ બાબતમાં સુપ્રીમ કોર્ટની સમક્ષ સોંગદનામું દાખલ કરીને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ત્રણ તલાક, બહુ વિવાહ અને પ્રથાઓ ધર્મનો ભાગ નથી. સાથે સરકારે એવું પણ કહ્યું કે આ પ્રચલન મહિલાઓના સમ્માન અને પ્રતિષ્ઠા વિરુદ્ધ છે. તો બીજી બાજુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે આ બાબતે ન્યાયાલયે દખલ કરવી જોઇએ નહીં.