પહેલીથી આઠમાં ધોરણ સુધી અભ્યાસ કરાવનાર શિક્ષકોની નિમણૂંક માટે થનારી સીટેટની પરીક્ષા હવે વર્ષમાં એક જ વખત આયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ સુધી આ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાઈ રહી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા આ સંબંધમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયને માહિતી આપવામાં આવી છે કે, અનેક પ્રકારની પરીક્ષાઓ આયોજિત કરવાના પરિણામ સ્વરુપે તેમના ઉપર પહેલાથી જ ખુબ દબાણની Âસ્થતિ હતી. સીબીએસઈ એÂન્જનિયરિંગ માટે જેઈઈ મેઇન્સ અને મેડિકલ માટે નીટની પરીક્ષાનું આયોજન કરે છે. બોર્ડે તાજેતરમાં જ વર્ષમાં બે વખત આયોજિત થનારી નેશનલ ઇલિજીબીલીટી ટેસ્ટ (નેટ)ની પરીક્ષા વર્ષમાં એક વખત યોજવા માટેની ભલામણ કરી હતી. આ પરીક્ષા મારફતે આસીસ્ટન્ટ પ્રોફેસરના હોદ્દા પર ભરતી કરવામાં આવે છે. સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારી માહિતી આપતા કહ્યું છે કે, જ્યારે કોઇ મોટી પરીક્ષા વર્ષમાં એક વખત આયોજિત કરવામાં આવે છે ત્યારે નેટ અને સીટેટની પરીક્ષા વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવે તે યોગ્ય દેખાતું નથી. આ ખુબ મોટી પરીક્ષાઓ છે. આના માટે ભારે સંશાધનોની જરૂર પડે છે. આની સાથે સાથે વર્ષમાં બે વખત પરીક્ષા હોવાના કારણે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ વધારે ગંભીર દેખાતા નથી. સીબીએસઈ, માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નેશનલ કાઉÂન્સલ ફોર ટિચર્સ એજ્યુકેશનના અધિકારીઓએ એવો નિર્ણય કર્યો છે કે, સીટેટની પરીક્ષા હવે વર્ષમાં એક જ વખત આયોજિત કરવામાં આવશે. હાલમાં આ પરીક્ષા વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવે છે જેમાં દર વર્ષે આશરે ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહે છે. અલબત્ત હજુ સુધી આ બાબતનો નિર્ણય કરાયો નથી કે, પરીક્ષા કયા મહિનામાં આયોજિત કરવામાં આવશે.
previous post