અમદાવાદ, તા.૧૫
ચાર્ટર્ડ એકાઉન્ટન્સીમાં અભ્યાસ કરી રહેલા અને તાલિમ લેતા વિદ્યાર્થીઓ માટે ધ ઈÂન્સ્ટટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈÂન્ડયા હંમેશા સક્રીય રહે છે જેથી સક્ષમ પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તૈયાર થઈ શકે. આઈસીએઆઈના વેસ્ટર્ન ઈÂન્ડયા રિજનલ કાઉÂન્સલના ચેરમેનને સીએ વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, આઈસીએઆઈ હંમેશા આધુનિક ગતિશીલ સમાજની જરૂરિયાતો અંગે જાગૃત રહે છે જેથી સીએને અભ્યાસક્રમ નિયમિત ધોરણે અપડેટ કરવામાં અને સુધારવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ એકાઉન્ટિંગ, ઓડિટિંગ, ફાઈનાન્સ અને આઈટી ક્ષેત્રની અદ્યતન માહિતીઓથી સજ્જ રહે અને સમયથી આગળ રહે. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમની ઈÂન્સ્ટટ્યુટ હાલમાં વિદ્યાર્થીઓના નવા કોર્સના અભ્યાસક્રમમાં સુધારાની અંતિમ પ્રક્રિયામાં છે. સીએ વિષ્ણુ અગ્રવાલે આ પ્રસંગે જીએસટી ટેક્સ પ્રણાલી અને સરકાર દ્વારા લાવવામાં આવતા અન્ય સુધારાઓના નવા માહોલ અંગે આઈસીએઆઈના વિઝન અંગે પણ માહિતી આપી હતી. આઈસીએઆઈની ડબ્લ્યુઆરસીની અમદાવાદ શાખાના ચેરમેન સીએ ચિંતન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શાખાએ તેમના સભ્યો અને વિદ્યાર્થીઓને બહેતર કેળવણી આપવા માટે કેટલાક પગલાં લીધા છે. આજે અમે ડબ્લ્યુઆઈઆરએસઅધિકારીઓ દ્વારા અપાયેલી સુવિધાના ભાગરૂપે સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાતનું આયોજન કર્યું છે, જેથી ડબ્લ્યુઆઈઆરએસના ચેરમેન અને તેમની ટીમ સાથે વિચારવિમર્શ કરી શકે અને અમે મેગા સેમીનારનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું છે.
previous post