Blogs

લોકસભામાં ઝટકો લાગશે છતાં મોદી બનશે પ્રધાનમંત્રી

ઉત્તર પ્રદેશમાં બદલાતી રાજનીતિએ નેતાઓની ઉંઘ હરામ કરી છે. વર્તમાન રાજકીય સ્થિતિ વચ્ચે ખાનગી ચેનલના સર્વેમાં ચોંકાવનારા પરીણામો સામે આવ્યા છે. સર્વે મુજબ યુપીમાં ત્રિકોણીય જંગ થવાની શક્યતા છે. ત્રિકોણીય હરિફાઈમાં એક તરફ સપા-બસપા અને આરએલડીનું ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ અને અપનાં દળની યુક્તી છે. જો કે ત્રીજી બાજુ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી જંગ લડી રહી છે.આવી સ્થિતિમાં કોંગ્રેસને એકલા હાથે ૧૨ ટકા મતો મળવાનું અનુમાન છે. જ્યારે મહાગઠબંધનને ૪૬ ટકા વોટ મળવાની શક્યતા સેવાઈ રહી છે. ભાજપ ગઠબંધનને ૭.૩ ટકાનાં નુકસાન સાથે ૩૬ ટકા વોટ મળવાનો અંદાજ છે. આ સર્વે ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ થી ૮ જાન્યુઆરી ૨૦૧૯ વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન ૨૦ લોકસભા વિસ્તારોમાંથી ૨૪૭૮ સેમ્પલ એક્ઠા કરવામાં આવ્યા હતા.બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ ગઠબંધનને ૫૫ સીટોનું નુકસાન થશે. ભાજપને માત્ર ૧૮ સીટો મળવાની શક્યતા છે. જો કે ભાજપ ગઠબંધનને ૫૮ બેઠક મળી શકે છે. ભાજપને ૫૫ સીટોનું નુકસાન મતલબ કે સપા-બસપા-રાલોદ યુતિને ૫૩ સીટનો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસનો પોતાનાં દમ પર માત્ર ૪ બેઠક મળવાની શક્યતા છે. જે ૨૦૧૪નાં મુકાબલે ૨ સીટ વધુ મળશે. મતલબ કે કોંગ્રેસને ૧૦૦ ટકા ફાયદો થશે તેવું સર્વે કહે છે. મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા પહેલાનો આ સર્વે છે. હવે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધીયા અને પ્રિયંકા ગાંધીને અનુક્રમે પશ્ચિમી અને પૂર્વીય યુપીનાં પ્રભારી બનાવાયા છે. તેથી કોંગ્રેસની બેઠકોનો આંક આવનારા દિવસોમાં વધશે.સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે યુપીમાં સપા-બસપા-રાલોદ અને કોંગ્રેસ બધા સાથે મળીને ટીમ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડે તો ભાજપ માત્ર પાંચ બેઠકો પર સંકેલાઈ જાય અને મહાગઠબંધનને ફાળે ૭૫ બેઠકો આવે મળે.
સર્વેમાં એક એવી સ્થિતી બતાવવામાં આવી છે કો જો રાજયમાં દરેક પક્ષ સ્વતંત્ર રીતે એકલા હાથે ચૂંટણી લડે અને કોઈ ગઠબંધન ન હોય તો શું પરિણામ જોવા મળે? આવી સ્થિતીમાં ભાજપને ૩૫ ટકા મતો મળવાની શક્યતા છે.જે ૨૦૧૪ની સરખામણીએ ૭.૩ ટકા ઓછા મતો છે. કોંગ્રેસને ૧૨.૫ ટકા વોટ મળવાની શક્યતા છે. જે ગત વખત કરતા ૪.૫ ટકા વધુ છે. સપાને ૧.૮ ટકાની બઢતી સાથે કુલ ૨૪ ટકા મત મળવાની શક્યતા દેખાય છે. જ્યારે બીજી તરફ બસપાને ૨૧ ટકા વોટ મળવાના અણસાર છે. જે ૨૦૧૪નાં મુકાબલે ૧.૪ ટકા વધુ છે. એટલે કે ભાજપની ઘટેલી મતોની ટકાવારી કોંગ્રેસ,સપા અને બસપામાં વહેંચાતી જોવા મળશે.બેઠકો પ્રમાણે જોઈએ તો ભાજપ ૧૪ સીટોનાં નુકસાન સાથે ભાજપ ૫૭ બેઠક પર સંકેલાઈ જશે. અપના દલ ૨૦૧૪ની જેમ જ ૨ સીટ પર જીતશે. કોંગ્રેસને બે બેઠકોની બઢતી સાથે ૪ સીટ પર જીત નોંધાવશે. આરએલડી ૨૦૧૪ની જેમ એક પણ બેઠક નહિં મળે. જો કે સપાને સૌથી વધુ ફાયદો થશે. ૧૧ બેઠકોનાં વધારા સાથે કુલ ૧૬ બેઠકો સપાનાં ખાતામાં આવશે. જ્યારે માયાવતીની બસપાને એક બેઠક મળવાનું સર્વેમાં જણાંવાયું છે.લોકસભાની ચૂંટણીને આડે હવે ૨ મહિનાનો સમય જ બાકી છે. ચૂંટણીપંચ કોઈ પણ સમયે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આની વચ્ચે દરેક રાજનીતિક પક્ષ ખુરશી મેળવવાના ગણિત ગણવામાં વ્યસ્ત છે. લોકસભા ચૂંટણી પહેલાં કરવામાં આવેલા સર્વેમાં કોઈ પણ ગઠબંધનને બહુમતી મળે તેવી સંભાવના દેખાતી નથી. સર્વે મુજબ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનને ફકત ૨૩૩ સીટ મળી શકે છે, જેમાં બહુમતથી ૩૯ સીટો ઓછી છે. કોંગ્રેસને ફકત ૧૬૭ સીટો મળતી દેખાઈ રહી છે. આમ ૨૦૧૯માં ત્રિશુંક લોકસભાના આસાર બની રહ્યું છે.એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં એનડીએ સૌથી મોટું ગઠબંધન બનીને સામે આવ્યું છે. સર્વેમાં ભાજપ અને સહયોગીઓને ૨૩૩, યુપીએને ૧૬૭ સીટ મળવાનો અંદાજ છે. અન્ય પક્ષને આ સર્વેમાં ૧૪૩ સીટ આપવામાં આવી છે.
સર્વે મુજબ, આમ ચૂંટણીના લીધે સૌથી અહમ રાજય ઉત્તર પ્રદેશમાં બીજેપીનું પ્રદર્શન સૌથી ખરાબ રહેશે. અહિંયા બીજેપીની સંખ્યા ખૂબ જ ઓછી થશે અને પાર્ટી ફકત ૨૪ સીટ પર જીત મેળવી શકે છે. જયારે પોતાનો પક્ષ પોતાની એકમાત્ર સીટ લઈ જશે.સર્વે મુજબ, કોંગ્રેસને આ વખતે ઉત્તર પ્રદેશમાં ૪ સીટો મળવાનું અનુમાન છે જેમાં રાયબરેલી, અમેઠીની સીટ પણ શામેલ છે.
લોકસભા ચૂંટણી પહેલા થયેલા સર્વે મુજબ આ સમયે સૌથી વધુ ફાયદો બસપા-સપા ગઠબંધનને મળી શકે છે. માયાવતી અને અખિલેશ યાદવની જોડી ૫૧ સીટો પર જીત મેળવી શકે છે. સર્વે મુજબ બીજેપી ૨૦૧૯ની ચૂટંણીમાં યૂપીમાં ૨૦૧૪નો જલવો નહીં બતાવી શકે. બીજેપી અને તેના સહયોગી પોતાનો પક્ષને ૨૦૧૪ની ચૂંટણીમાં યૂપીમાં ૮૦માંથી ૭૩ સીટો પર જીત મેળવી હતી. આ વખતે તેમાં ફકત ૨૫ સીટો મળતી દેખાઈ રહી છે.
સર્વે મુજબ, બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ આ વખતે પણ પહેલાની જેમ ૩૪ સીટો પર જીત મેળવી શકે છે. ૨૦૧૪માં અહિંયા બે સીટો જીતનારી બીજેપીનો આંકડો ૭ સીટ સુધી જઈ શકે છે. જયારે એક સીટ કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. સર્વે મુજબ, આમ ચૂંટણીમાં બંગાળમાં લેફ્ટના પૂરે પુરો સફાયો થઈ શકે છે.સરવે મુજબ, બીજેપીને મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં જોરથી ઝટકો લાગી શકે છે. ૨૦૧૯ના રણમાં મહારાષ્ટ્રમાં બીજેપી પર કોંગ્રેસ- એનસીપીનું ગઠબંધન ભારી પડી શકે છે. અહિયાં યૂપીએને ૨૮ અને એનડીએને ૧૬ સીટો મળવાનું અનુમાન છે. આના સિવાય હાલમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી હારી ગયેલી બીજેપીને આ ત્રણ રાજયોમાં ભારી નુકસાન થઈ શકે છે. સર્વે મુજબ, આ ત્રણ રાજયોની ૬૫ લોકસભા સીટોમાં બીજેપી ૪૬ સીટો જીતી શકે છે. જયારે કોંગ્રેસને ૧૯ સીટો મળવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે.

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કાયદા પ્રધાનપદેથી રાજીનામું આપતી વેળાએ…

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર :- જન્મ અને બાળપણ – શિક્ષણ

aapnugujarat

ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરને કેન્દ્રમાં રાખીને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન હાથ ધરાયેલ કામગિરી

aapnugujarat

Leave a Comment

vulkan vegas, vulkan casino, vulkan vegas casino, vulkan vegas login, vulkan vegas deutschland, vulkan vegas bonus code, vulkan vegas promo code, vulkan vegas österreich, vulkan vegas erfahrung, vulkan vegas bonus code 50 freispiele, 1win, 1 win, 1win az, 1win giriş, 1win aviator, 1 win az, 1win azerbaycan, 1win yukle, pin up, pinup, pin up casino, pin-up, pinup az, pin-up casino giriş, pin-up casino, pin-up kazino, pin up azerbaycan, pin up az, mostbet, mostbet uz, mostbet skachat, mostbet apk, mostbet uz kirish, mostbet online, mostbet casino, mostbet o'ynash, mostbet uz online, most bet, mostbet, mostbet az, mostbet giriş, mostbet yukle, mostbet indir, mostbet aviator, mostbet casino, mostbet azerbaycan, mostbet yükle, mostbet qeydiyyat