શનિવારે સવારે UP ના રામપુર પાસે રાજ્યરાની એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ છે. ટ્રેનના ૯ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કોઈના મૃત્યુના સમાચાર નથી ત્યારે ૫૦-૬૦ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. જેમાંથી ગંભીર રૂપે ૭-૮ લોકોને જીલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત રામપુરમાં ઓવર બ્રીજ પાસે થયો છે. જયારે ટ્રેકમાં ગડબડીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાસ્થળ પર પોલીસ અને રેલ્વેના અધિકારી હાજર છે. ટ્રેનમાં દબાયેલ લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે મેરઠથી લોકલ બસોમાં સવાર થઈને મામુલી રૂપે ઘાયલ લોકો પોતાના ગંતવ્ય માટે નીકળી ચુક્યા છે. અકસ્માત બાદ રામપુર લખનૌ રૂટ પર અવરજવર બંધ છે.
ટ્રેન મેરઠથી લખનૌ જઈ રહી હતી ત્યારે રામપુરમાં ઓવર બ્રીજ પાસે આ અકસ્માત થયો છે.