Entertainment

રણબીર માતા-પિતા સાથે રહેવા જશે

ટોચનો અભિનેતા રણબીર કપૂર નજીકના ભવિષ્યમાં પોતાનાં માતાપિતા નીતુ સિંઘ કપૂર અને રિશિ કપૂર સાથે રહેવા જશે એવી માહિતી મળી હતી. અત્યાર અગાઉ ટોચની અભિનેત્રી કેટરિના કૈફ સાથે એનો અફેર ચાલુ હતો ત્યારે એ અને કેટરિના એક અલગ ફ્લેટમાં લીવ ઇન રિલેશનશીપથી રહેતાં હતાં. લગભગ ચારપાંચ વર્ષ એ બંને આ રીતે રહ્યાં હતાં. ૨૦૧૭ના આરંભે તેમનો બ્રેકપ થયો હતો. ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની બ્રહ્માસ્ત્રના બલ્ગેરિયામાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા ભટ્ટ એકમેકની નિકટ આવી ગયાં હતાં અને બંને વચ્ચે અફેર ચાલુ થયો હોવાની વાતો વહેતી થઇ હતી.
રણબીર અને આલિયા ભટ્ટ લગ્ન કરે તો સ્વાભાવિક છે કે રણબીરે કેટરિના સાથે રહેવા માટે લીધેલા ફ્લેટમાં બંને રહેવા જાય એવી સૌની અપેક્ષા હોય. પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ રણબીર કપૂર ટૂંક સમયમાં પોતાનાં માતાપિતા સાથે કૃષ્ણા-રાજ બંગલામાં પાછો રહેવા જશે. એ સંજોગોમાં આલિયા ભટ્ટે પણ સાસુ-સસરા સાથે રહેવું પડે. જો કે કૃષ્ણા-રાજ બંગલો તોડી પાડીને રિશિ કપૂર ત્યાં પંદર માળનો ટાવર બનાવી રહ્યા છે અને મોટે ભાગે રણબીર કપૂર પણ આ ટાવરમાં એમની સાથે રહેવા જશે. આ વર્ષની આખર સુધીમાં આ ટાવર તૈયાર થઇ જશે. ત્યારબાદ આખો પરિવાર ત્યાં રહેવા જશે.

Related posts

બનિતા સંધુ બોલિવુડમાં હવે કેરિયર બનાવવા માટે તૈયાર

aapnugujarat

बॉलीवुड को खत्म करने की साजिश : संजय राउत

editor

અદનાન સામી હવે અભિનયમાં પોતાનું નસીબ અજમાવશે; બોલીવૂડમાં એન્ટ્રી કરશે

aapnugujarat

Leave a Comment