ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ યોગી આદિત્યનાથ સરકારની કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. અખિલેશે કહ્યું છે કે, આ સરકાર પરીક્ષામાં પાસ થાય છે કે ફેલ તેના ઉપર તેમની નજર છે. અખિલેશે ફરી એકવાર ઇવીએમનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વના સૌથી શÂક્તશાળી દેશ પણ ઇવીએમનો ઉપયોગ કરી રહ્યા નથી. અખિલેશે કહ્યું હતું કે, વિરોધ પક્ષોએ ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, આ સમગ્ર મામલામાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. ટેકનોલોજીનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અખિલેશે ઉમેર્યું હતું કે, જ્યારે રિમોટ દ્વારા ચીપથી પેટ્રોલની ચોરી કોઇપણ ઇન્ટરનેટ કનેક્શન વગર થઇ શકે છે તો ઇવીએમ સાથે પણ ચેડા શક્ય રહેલા છે. ટેકનોલોજીના ખોટા ઉપયોગને રોકવાનો સમય આવી ગયો છે. અખિલેશે યોગી સરકારની કામગીરી ઉપર નજર રાખવાની વાત કરી હતી. મુલાયમસિંહ યાદવને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ન બનાવવાને લઇને અખિલેશ પાર્ટીની અંદર જ નારાજગીનો સામનો કરી રહ્યા છે. તેમના કાકા અને પૂર્વ મંત્રી શિવપાલ યાદવ વારંવાર અપીલ કરી રહ્યા છે કે, તેઓ પોતાના વચનને પાળીને મુલાયમસિંહને પાર્ટીની જવાબદારી ફરી એકવાર સોંપી દે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ ઇવીએમમાં ચેડાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઇવીએમ સાથે ચેડાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ પણ ઇવીએમને લઇને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. હવે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ મેદાનમાં આવી ગયા છે. યોગી સરકારના કામ ઉપર નજર રાખવામાં આવી રહી હોવાનો દાવો અખિલેશે આજે કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર એક પછી એક કઠોર નિર્ણય કરી રહી છે.
previous post