Entertainment

મનીશ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે

બોલિવુડમાં ધીમે ધીમે વધુને વધુ લોકપ્રિયતા મેળવી રહેલી સેક્સી સ્ટાર સની લિયોનને વધુ એક મોટી હિન્દી ફિલ્મ હાથ લાગી છે. તે હવે વર્ષ ૨૦૧૨ની સુપરહિટ પંજાબી ફિલ્મ જટ એન્ડ જુલિયટની હિન્દી રીમેકમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે મનીશ પૌલ નજરે પડનાર છે. હાલમાં છેડાયેલા કાસ્ટિગ કાઉચના મામલે પણ સની લિયોને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી.તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચને લઇને લઇને બોલિવુડ અને હોલિવુડ સહિત તમામ જગ્યાએ સ્થિતી હોવા છતાં તે હજુ સધી શિકાર થઇ નથી. હોલિવુડના દિગગજ નિર્માતા હાર્વી વિન્સટીન પર અનેક પ્રકારના ગંભીર આરોપો યૌન શૌષણને લઇને મુકવામાં આવ્યા હતા. આ આક્ષેપો તેમના પર થયા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પોત પોતાની પ્રતિક્રિયા આ વિષય પર આપી રહ્યા છે. કેટલીક બોલિવુડ અભિનેત્રી કહી ચુકી છે કે તે યૌન શોષણનો શિકાર થઇ ચુકી છે. કેટલીક અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉંચને લઇને વિસ્તારપૂર્વક માહિતી પણ આપી છે. કલ્કિ કોચલીનથી લઇને ટિસ્કા ચોપડા અને રણવીર સિંહ પણ કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી ચુક્યા છે.
તાજેતરમા જ એક ઇન્ટરવ્યુમા બોલ્ડ સ્ટાર સની લિયોને કહ્યુ હતુ કે તે ક્યારેય પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ નથી. તેનુ કહેવ છે કે તેને હમેંશા તેના પતિ ડેનિયલ વીબર અને પોતાની સમગ્ર ટીમ તરફથી મદદ મળી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ થાય છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સની લિયોને કહ્યુ હતુ કે ચોક્કસ ણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉંચની પ્રથા રહેલી છે.

Related posts

I want to play role of Psycho-Killer : Akshay

aapnugujarat

પ્રિયંકા-નિક જુલાઇમાં સગાઇ કરી શકે

aapnugujarat

ઇલિયાના અજય દેવગનની સાથે ફરી વખત નજરે પડશે

aapnugujarat

Leave a Comment