ડેડિયાપાડા ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત નવસર્જન આદિવાસી અધિકાર જનસભાને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસને બહુમતી સાથે સત્તા ઉપર આવશે.
તેમણે કÌšં હતું કે ભાજપવાળા કહે છે કે ૧૫૦ બેઠકોનો અમે સંકલ્પ કર્યો છે. તેમણે ભલે જે સંકલ્પ કર્યો હોય કોંગ્રેસને બહુમતીને અનુકુળ એવી ૧૦૮ બેઠક મળશે જે ભાજપ માટે એટેક આવી જાય એટલા માટે જરૂરી છે.
ગુજરાતની વર્તમાન ભાજપ સરકારની શિક્ષણનીતિ, આરોગ્ય, રોજગારી સહિતના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ આકરી ઝાટકણી કાઢી હતી.ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત નવસર્જન આદિવાસી અધિકાર જનસભા અંતર્ગત કોંગ્રેસના રાષ્ટÙીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ડેડિયાપાડા ખાતે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી વિમાન દ્વારા વડોદરા આવી પહોંચ્યા હતા, ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફત ડેડિયાપાડા આવી પહોંચ્યા હતા.આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગહેલોત, કોંગ્રેસના રાષ્ટÙીય અધ્યક્ષ સોનિયાગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ તેમજ પ્રદેશ કોંગેસના હોદેદારો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું.