ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યાથે દાવો કર્યો કે, દેશમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. ભાજપને ચૂંટણીમાં ૩૦૦થી વધારે બેઠક મળવાની છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળવાની છે. યોગીએ કહ્યુ કે, ભાજપ આ વખતે અમેઠી અને આજમગઢ લોકસભા બેઠક પર જીતી રહ્યુ છે. યુપીમાં ભાજપને ૭૩થી વધારે બેઠક મળવાની છે.
સીએમ યોગીએ મહાગઠબંધન પર પ્રહાર કરતા જણાવ્યુ કે, ૨૩ મે બાદ યુપીમાં મહાગઠબંધનને મુક્તિ મળવાની છે. બસપા અને સપાનું ગઠબંધન માત્ર તકવાદી છે. આ ગઠબંધન માત્ર સ્વાર્થ માટે બનાવવામાં આવ્યુ છે. પરિણામ આવતાની સાથે બસપા સુપ્રીમો માયાવતી હારનું ઠીકરૂ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર ફોડવાના છે.
તેમણે કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પીએમ બનવુ છે. જેમને કોંગ્રેસના નેતાઓ પણ પીએમ પદના દાવેદાર નથી માનતા ત્યારે કોંગ્રેસના સાથી દળોને પણ રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી.