સુપ્રીમકોર્ટે પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી આ વર્ષ પૂરતું ૨૫ ટકા બેઠકો પર તેના વિદ્યાર્થીઓને પ્રાધાન્યતા આપી શકશે એમ ઠરાવી આગામી વર્ષ માટે બેઠકોનો રેશ્યો નક્કી કરવા સમગ્ર કેસ સુપ્રીમકોર્ટના પાંચ જજીસની બેંચ સમક્ષ રિફર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી સિવાયની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તરફથી કરાયેલી પિટિશનની સુનાવણીમાં સુપ્રીમકોર્ટના ત્રણ જજીસની બેંચે ઉપરોકત મહત્વપૂર્ણ નિર્દેશ સાથે બંધારણીય બેંચને કેસ રિફર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, ચાલુ વર્ષ પૂરતુ ગુજરાત યુનિવર્સિટી ૨૫ ટકા બેઠકો પર તેના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી શકશે, બાકીની ૨૫ ટકા બેઠકો પર ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને પ્રાધાન્યતા આપી શકાશે અને ત્યારબાદ બાકીની ૫૦ ટકા બેઠકો પર નીટના આધારે રાષ્ટ્રીયકક્ષાએ સ્પર્ધાત્મક રીતે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી શકાશે. જા કે, આગામી વર્ષ માટે પી.જી.મેડિકલની બેઠકો પર કેવી રીતે પ્રાથમિકતા આપવી તે મુદ્દાને નિર્ણિત કરવા માટે સુપ્રીમકોર્ટે સમગ્ર મામલાને પાંચ જજીસની બંધારણીય બેંચ સમક્ષ મોકલી આપ્યો હતો. કેસની વિગતો પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ ૫૦ ટકા બેઠકો તેના(ગુજરાત યુનિવર્સિટીના) વિદ્યાર્થીઓ માટે અનામત રખાઇ હતી. ખાસ કરીને ૫૦ ટકા બેઠકો પર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અને બાકીની બેઠકો પર મેરીટ પ્રમાણે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો. આ વ્યવસ્થાને હાઇકોર્ટમાં અગાઉ પડકારાઇ હતી પરંતુ હાઇકોર્ટે તેને બહાલ રાખી હતી. જેથી આ મામલાને સુપ્રીમકોર્ટમાં પડકારાયો હતો. જેમાં સુપ્રીમકોર્ટે ચાલુ વર્ષ પૂરતું ૨૫ ટકા બેઠકો પર ગુજરાત યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપશે તેવી રાહત આપી હતી. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા મળવી જ જાઇએ. યુનિવર્સિટી પહેલા પોતાના વિદ્યાર્થીઓને પ્રાધાન્યતા આપે તેમાં કંઇ ખોટું નથી.
previous post