દિલ્હી એરપોર્ટ પર મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિલ સેલ દ્વારા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે પકડવામાં આવેલા આ આતંકવાદીનું નામ અન્સારૂલ કહેવાઈ રહ્યું છે. આ આતંકવાદી ૨૮ ઓક્ટોબરના રોજ કાશ્મિરના પુલવામા જિલ્લામાં જમ્મુ-કાશ્મિર પોલીસના એસઆઈ ઈમ્તિયાઝ અહેમદ મીરની હત્યામાં સામેલ હતો.
સ્પેશિયલ સેલની તેની દરેક મૂવમેન્ટ પર છેલ્લા ૧૫-૨૦ દિવસથી નજર હતી. ૨૦ નવેમ્બર એટલે કે આજના દિવસે તે જેવો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો કે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. વાત એમ છે કે, જન્મુ-કાશ્મીરમાં સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે.
તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે. આ જ સંદર્ભે આતંકવાદીઓએ એક ધમકી આપી હતી કે ઘાટીના પોલીસ કર્મચારીઓ અને એસપીઓ પોતાની નોકરીઓ છોડી દે. આ ધમકી બાદ ઈમ્તિયાઝની હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ આ આતંકવાદી ફરાર થઈ ગયો હતો.
હત્યા કર્યા બાદ આતંકવાદી સૌથી પહેલા કાશ્મીરથી દિલ્હી આવ્યો હતો અને અહીંથી તે મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈથી બેંગલુરુ થઈને તે ફરી પાછો દિલ્હી પહોંચ્યો હતો. અહીંથી તે કાશ્મીર જવાની તક શોધતો હતો. તે કાશ્મીરમાં ફળોનો મોટો વેપારી છે. પકડાયેલા આતકંવાદીની ઉંમર લગભગ ૨૪-૨૫ વર્ષ છે અને તે અંગ્રેજીમાં એમ.એ. થયેલો છે.
previous post
next post