પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં ઉંમર કેદની સજા કાપી રહેલા રોબર્ટ પાઇએસએ તમિલનાડુ સરકારને પત્ર લખી દયા મૃત્યુની માંગ કરી છે. તેનું કહેવું છે કે, તે છેલ્લા ૨૭ વર્ષથી જેલમાં છે અને તેની જિંદગીનો હવે કોઇ આશય રહ્યો નથી. રોબર્ટે પોતાના પત્રમાં લખ્યું છે કે, હું ૨૭ વર્ષથી જેલમાં છું. હું સરકારની મંશા સમજી શકુ છું અને મારા પરિવારનો કોઇ સભ્ય મને મળવા આવ્યો નથી. હવે મારી જિંદગીનો કોઇ મતલબ નથી. તેણે કહ્યું કે, ૧૯૯૯માં જ્યારે મને દોષિત જાહેર કરવામાં આવ્યો ત્યારે એ પીઠના એક જજે કહ્યું હતું કે, તે નિર્દોષ છે. આમ છતાં પણ હું જેલમાં છું. હું ક્યારેય જેલની બહાર આવનાર નથી, એટલા માટે પ્રાર્થના છે કે, મને દયા મૃત્યુ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રોબર્ટ પાઇએસ શ્રીલંકાનો તમિલ છે, જે એલટીઇની કમાન્ડોની ટીમનો સભ્ય હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે રાજીવ ગાંધીની હત્યાનો મુખ્ય કાવતરાખોરોમાંથી એક હતો.
previous post