ઓડીસાના ભુવનેશ્વર ખાતે આવતીકાલને તા. ૧૫ એપ્રિલથી BJP ની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠકનો પ્રારંભ થઈ રહ્યો છે. આ બેઠકમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના સાત આગેવાનો ભાગ લેવા જશે.
ગુજરાત BJP ના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના ચાર રાજયોમાં ભાજપનું શાસન સ્થપાયું છે. આ પાંચ રાજયોનાં ચૂંટણી પરિણામો પછી પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી તા.૧૫ અને ૧૬ એપ્રિલે ભુવનેશ્વર, ઓરીસ્સા ખાતે મળનાર છે.
BJP ની આ રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સાંસદસભ્ય ડૉ.કિરીટ સોલંકી વગેરે ઉપસ્થિતિ રહેશે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી ભાજપના સાત આગેવાનો જવાના છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે ગુજરાત ભાજપમાંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકી જશે. આ સાત નેતાઓમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકી આ બે સિવાયના તમામ નેતાઓ પટેલ છે.