રાઇટ ટુ એજયુકેશન એકટ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશમાં પડતી મુશ્કેલીઓ અને સરકારના આ અંગેના વેબપોર્ટલની ખામીઓને રજૂ કરતી જાહેરહિતની રિટનો આજે ગુજરાત હાઇકોર્ટે નિકાલ કર્યો છે. હાઇકોર્ટે વાલીઓને રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ફોર્મ ભરવાથી માંડી પ્રવેશ અંગેની કોઇપણ ફરિયાદ કે મુશ્કેલી હોય તો સરકારના સત્તાવાળાઓ દ્વારા ઉભા કરાયેલા ૪૯૦ કેન્દ્રો(સેન્ટરો) પર રજૂઆત કે સંપર્ક કરવા વાલીઓને હુકમ કર્યો છે. હાઇકોર્ટે આશા વ્યકત કરી હતી કે, જા વાલીઓ દ્વારા સેન્ટરોનો સંપર્ક કરાય ત્યાં તેમની ફરિયાદોનું નિવારણ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવશે.હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં એ મતલબના મુદ્દા ઉપÂસ્થત કરાયા હતા કે, રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજયની શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના પ્રવેશ માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જાગવાઇ છે પરંતુ હજુ પણ શાળાઓ દ્વારા આ નિયત ધોરણ મુજબ બાળકોને પ્રવેશ અપાતો નથી.
ખાસ કરીને આરટીઇના વિષય અંગેના વેબ પોર્ટલ પર ઘણી ખામીઓ છે, જેના કારણે વાલીઓને ઓનલાઇન ફોર્મ ભરવાથી માંડી શાળાઓના લોકેશન સહિતની ઘણી બાબતોમાં બહુ મુશ્કેલીઓ પડી રહી છે. વેબ પોર્ટલ પર કુલ કેટલી બેઠકો પર પ્રવેશ અપાયો અને કેટલી બેઠકો પર પ્રવેશ ઉપલબ્ધ છે તેની સાચી માહિતી નથી, શાળાનું લોકેશન કે વિદ્યાર્થીના ઘરથી ૦ થી૧, ૧થી ૩ અને ૩થી ૬ કિ.મીના અંતરનું શાળાનું સાચુ લોકેશન પણ વેબપોર્ટલ પર દેખાતું નથી, સંખ્યાબંધ કેસોમાં વેબપોર્ટલ પર બાળકોનું સરનામું અને શાળાના લોકેશનની માહિતી ખોટી જણાઇ છે. આ સંજાગોમાં રાઇટ ટુ એજયુકેશન એકટની જાગવાઇઓ અને સરકારના આ અંગેના ઠરાવનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે તે જાતાં હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓને જરૂરી આદેશો કરવા જાઇએ કે જેથી ગરીબ અને પછાત વર્ગના બાળકોને તેમના માટેની અનામત એવી ૨૫ ટકા બેઠકો પર સરળતાથી અને જેન્યુઇનલી પ્રવેશ મળી શકે. તમામ પક્ષકારોની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે અગાઉ અનામત રાખેલો ચુકાદો આજે જાહેર કર્યો હતો.