બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસન આગામી સપ્તાહમાં આઈસીસીની બેઠકમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં કારણ કે તેમને હિતોના સંઘર્ષના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે આજે કહ્યું હતું કે શ્રીનિવાસન આઈસીસીની બેઠકમાં ઉપÂસ્થત રહી શકશે નહીં. સુપ્રિમ કોર્ટે બીસીસીઆઈના કારોબારી સચિવ અમિતાભ ચૌધરીને ૨૪મી એપ્રિલના દિવસે યોજાનારી આઈસીસીની બેઠકમાં ક્રિકેટ બોર્ડનું પ્રતિનિધિત્વ કરવા મંજુરી આપી દીધી છે. સાથે સાથે તેમની સાથે જવા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જાહરીને આદેશ કર્યો છે. જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેચે કહ્યું છે કે શ્રીનિવાસનને કોનફ્લીપ્ટ ઓફ ઈન્ટરેસ્ટ બદલ સુપ્રિમ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવી ચુક્યા છે. જેથી તેમને આઈસીસીની બેઠકમાં હાજરી આપવાની મંજુરી આપી શકાય નહીં. એવો આદેશ કરવામાં આવ્યો છે કે અમિતાભ ચૌધરી આઈસીસીની બેઠકમાં હાજરી આપી શકે છે. રાહુલ જાહરી પણ તેમની સાથે જ હશે. જસ્ટીસ એએમ ખાનવીલકર અને ડીવીય ચંદ્રચુડની બેચે આ મુજબનો આદેશ કર્યો હતો. ૧૦મી એપ્રિલના દિવસે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે બીસીસીઆઈના ઓફિસ હોદ્દેદાર બનવા લાયક નહીં રહેલી વ્યÂક્ત આઈસીસીની બેઠકમાં ભાગ લેવા માટે નોમિનેટ કરી શકાય નહીં.
ત્યારબાદથી આ મામલો ચર્ચામાં હતો. સુપ્રિમ કોર્ટ દ્વારા અગાઉ લોધા કમિટીની મોટાભાગની ભલામણોને સ્વીકારી લીધી હતી. બીસીસીઆઈમાં સુધારા અંગે શ્રેણીબદ્ધ ભલામણો કરવામાં આવી હતી. જેને સ્વીકારી લેવાઈ હતી. આમાં પ્રધાનો અને સિવિલ અધિકારીઓ પર સભ્યો બનવા પર બ્રેક મુકાઈ હતી.
previous post
next post