અમેરિકાના એક વરિષ્ઠ સાંસદે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો ભારત પર સૈનિકો અને એમના નાગરિકો પર હુમલા થતાં રહ્યા તો એ શાંત રહેશે નહીં. એની સાથે જ એમણે ઇસ્લામાબાદથી એમની જમીન પર સક્રિય કટ્ટરપંથી તાકતો પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
હાઉસ ડેમોક્રેટિક કોકસના અધ્યક્ષ જે ક્રાઉલીએ જણાવ્યું કે પાકિસ્તાન સમર્થિતિ આતંકવાદી સંગઠનોનની ગતિવિધિઓના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભારત-પાકિસ્તાન સીમા પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ક્રાઉલીએ આ બાબતે ડોનાલ્ડ ટ્રંપ સરકાર સાથે પાકિસ્તાન પર વધારે દબાણ કરવાની માંગણી કરી છે.
અમેરિકાના ધારસભ્યે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ ફેલાવનાર લશ્કર-એ-તોયબા તથા અન્ય આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે વધારે પ્રયત્નો કરવાની જરૂર છે.
તેમણે કહ્યું, પાકિસ્તાને પોતાના વિસ્તારની અંદર હિંસક અને કટ્ટરપંથી સંગઠનોનો ખત્મો કરવા માટે વધારે પ્રયત્નો કરવાની જરૂર છે, કારણ કે ભારતના નાગરિકો અને સૈનિકો પર હુમલા થતાં રહ્યા તો એ ચૂપ રહેશે નહીં.
ધારસભ્ય ક્રાઉલીએ કહ્યું કે આ મુદાને બંને દેશોએ દ્વિપક્ષીય રીતે ઉકેલ લાવવો જોઇએ.
તેમણે કહ્યું કે આ બાબતે અમેરિકા એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે અને એ ભારત અને પાકિસ્તાન બંનેનો મિત્ર હોવાને કારણે અમેરિકા ક્ષેત્રમાં શાંતિ અને સંયોગનો રસ્તો શોધવા માટે મિત્રો દેશો પર દબાણ નાંખી શકે છે.
એમણે આશા વ્યક્ત કરતાં કહ્યું કે ટ્રંપ પ્રશાસન અફઘાનિસ્તાન નીતિ પર ભારત પાસેથી જાણકારી માંગશે.
માનવામાં આવી રહ્યું છે કે એને અંતિમ રૂપ આપવા માટેનું કામ ચાલી રહ્યું છે.