Entertainment

અદિતિ રાવ સંજય લીલાની ફિલ્મ મળતા આશાવાદી

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રીઅદિતી રાવ હૈદરીને સંજય લીલાની પદ્માવતિ ફિલ્મ મળ્યા બાદથી ભારે ખુશ છે. તે આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં દિપિકા છે. તેના ટાઇટલ રોલવાળી ફિલ્મમાં રણવીર ઉપરાંત શાહિદ કપુર પણ કામ કરે છે. તેની ભૂમિકા પણ મોટી છે. અદિતીને હાલમાં સારી સારી ફિલ્મો મળી રહી છે. હવે વધુ એક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા હાંસલ કરનાર બોમ્બે ફિલ્મ વર્ષ ૧૯૯૫માં રજૂ કરવામાં આવી હતી. જે એક મુસ્લિમ મહિલાની પટકથા હતી. મુસ્લિમ મહિલાની ભૂમિકા મનીશા કોઇરાલા દ્વારા અદા કરવામાં આવી હતી. જે હિન્દુ પુરૂષના પ્રેમમાં પડે છે. હિન્દુ પુરૂષના રોલમાં અરવિન્દ સ્વામીની ભૂમિકા રહી હતી. હાલમાં અદિતી રાવ સંજય લીલાની ફિલ્મ પદ્માવતિમાં પણ કામ કરી રહી છે. જેમાં તેના સાથે રણવીર સિંહ હવે દિપિકાની મુખ્ય ભૂમિકા રહેલી છે. અદિતી હાલમાં ફરી એકવાર આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.અદિતી રાવનુ કહેવુ છે કે બોલિવુડમાં તમામ અભિનેત્રીઓ વચ્ચે હાલમાં સીધી સ્પર્ધા ચાલી રહી છે પરંતુ તમામ અબિનેત્રીઓને કામ મળી રહ્યુ છે.
અદિતીએ પોતાની કેરિયરમાં હજુ સુધી કોઇ મોટી ફિલ્મમાં બૂમિકા કરી નથી. જો કે સંજય લીલાની ફિલ્મ તેના માટે ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા ટુંકી છે પરંતુ આ ભૂમિકા પણ તમામનુ ધ્યાન ખેંચનાર તરીકે રહેશે. તે રણવીર સિંહની પત્નિના રોલમાં દેખાશે. રણવીર અલાઉદ્દીન ખિલજીના રોલમાં નજરે પડનાર છે. જે ચિત્તોડની મહારાણી પદ્માવતિને હાંસલ કરવા માટેના પ્રયાસ કરે ચે. જો કે તેને આમાં સફળતા મળતી નથી. ઇતિહાસ પર આધારિત આ ફિલ્મનુ ચાહકો રાહ જોઇ રહ્યા છે.

Related posts

કાસ્ટિંગ કાઉચના શિકાર થઇ નથી : સની લિયોને દાવો કર્યો

aapnugujarat

આલિયા અને કરીના સાથે ચમકશે

aapnugujarat

બોલિવુડ ફિલ્મોમાં હજુ ઘણા ફેરફારની જરૂર છે : ટિસ્કા

aapnugujarat

Leave a Comment