સની લિયોની લાંબા સમય સુધી એડલ્ટ ફિલ્મોની સ્ટારના રૂપમા જોવા મળી છે. તે પછી તેને બોલિવુડમાં આવી હતી. સનીના જીવનની વાતો રજૂ કરવા માટે તેની બાયોપિક સામે આવી છે. કરણજીત કૌર – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની રજૂ કરાઈ છે, જેમાં તેના જીવનના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.
સની લિયોની ભલે એડલ્ટ ફિલ્મોની સ્ટાર બની ગઈ હોય, પણ બાળપણમાં જ્યારે તેણે પહેલીવાર એડલ્ટ ફિલ્મ જોઈ હતી, તો તે શરમથી પાણી પાણી થઈ ગઈ હતી. તેને બહુ જ અફસોસ થયો હતો. તેણે પોતાના ભાઈ અને એક મિત્ર સાથે અજાણતા જ આ ફિલ્મ જોઈ લીધી હતી. તેને ખબર ન હતી કે આ એક એડલ્ટ ફિલ્મ છે. તેના જોયા બાદ સનીને એટલો અફસોસ થયો હતો કે, તેણે પોતાના ગુરુની તસવીર સામે ઉભા રહીને આવું કરવા માટેની માફી પણ માંગી હતી.
વેબ સીરિઝ તો શરૂ થઈ ગઈ છે, જેમાં સનીની લાઈફ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાંનો આ એક ઈમોશનલ કિસ્સો પણ લોકોની સામે આવ્યો છે. લોકોને આ વેબ સીરિઝ પસંદ પણ આવી રહી છે.