લોકોને ખડખડાટ હસાવનાર સબ ટીવીનો લોકપ્રિય ટીવી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. આ શૉ વિવાદને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. સિખ સમુદાય આ શૉ વિરુદ્વ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમણે આ શૉ પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.ગુરુદ્વારા પ્રબંધક કમિટીના વડા કૃપાલ સિંહ બાંદુગરે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, આ શૉ એ સિખોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી છે. સિખ ગુરુ ગોવિંદ સિંહને જીવિત સ્વરૂપમાં આ પ્રકારે બતાવું તેમનું અપમાન છે. આવું કરવું સિખ સિંદ્વાતોની વિરુદ્વ છે. કોઇ પણ અભિનેતા પોતાની જાતને ગુરુ ગોવિંદ સિંહના સમાન કેવી રીતે બતાવી શકે. આ ભૂલ માફીના લાયક નથી. તેમણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના રાઇટર અને ડાયરેક્ટરને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, ટીવી પર આ પ્રકારનો કન્ટેટ ના બતાવવામાં આવે.હાલમાં એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન એક અભિનેતા સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકામાં નજરે આવ્યો હતો. આ એપિસોડ બાદ સિખ સમુદાય ગુસ્સામાં હતો. તેમનું કહેવું હતું કે, કોણ પણ જીવિત વ્યક્ત કેવી રીતે ગુરુનું સ્વરૂપ ધારણ કરી શકે? હવે જોવાનું એ રહ્યું કે, આ મામલામાં આગળ કેવો નવો વળાંક આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, આ મામલે કોઇ હજી સુધી કોર્ટ સુધી પહોંચ્યું નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ