18 મેના રોજ શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તૈયારી કરવામાં રહી છે.મંદિરના કપાટ બ્રહ્મમુહુર્ત પર ખોલવામાં આવશે.મંદિર પરિસરમાંથી બરફ દૂર કરવામાં આવ્યો છે. સફાઇ અને કલરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, નગર પંચાયત બદ્રીનાથ દ્વારા સમગ્ર બદરીનાથ ધામમાં સ્વચ્છતા અને સફાઇ કામ પૂર્ણ કરાયું છે, તેમજ રિપેરિંગનું કામ પણ ચાલી રહ્યું છે.બદરીનાથ ધામમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને ચારધામ દેવસ્થાનમ બોર્ડ છે અને દરવાજા ખોલવા માટે જરૂરી તૈયારી શરૂ કરી દીધી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ