ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિતશાહ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.ગાંધીનગરના કોલવડાની આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.દેશમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ગંભીર છે ત્યારે ઓક્સિજનના કારણે દેશમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.આ ઓક્સિજન પ્લાન્ટ જરૂરી એવા દર્દીઓની સહાય માટે તેમજ કોઈ પણ પ્રકારે ઓક્સિજન માટે વલખા ના મારવા પડે એ માટે પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે.તેમજ ગાંધીનગર ખાતે કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગાંધીનગર કલેકટર ડૉ.કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશન ડૉ.રતન ગઢવી, ગાંધીનગર પ્રભારી સુનયના તોમર સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ