છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં તેજીથી વધારો થઈ રહ્યો છે.દેશભરમાં વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સીધો સંપર્ક કરી રહી છે .ત્યારે આજ પ્રધાનમંત્રી મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.જેમાં કોરોનાની સ્થિતિ અને વેક્સીનેશન પર ચર્ચા કરવામાં આવશે.દેશભરમાં કોવીડ-૧૯ના અત્યાર સુધીના સૌથી વધારે ૧લાખ થી વધુ કેસ નોધાયા છે.અને ૬૩૦ લોકોના મૃત્યુ થયા છે.
પીએમ નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફ્રરેનસિગથી દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે.અને હાલ ની પરિસ્થિતિ ને રોકવા માટે રણનીતિ અંગે ચર્ચા કરશે.