Aapnu Gujarat
મનોરંજન

કોમેડિયન કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદા સાથેના વિવાદ નો કર્યો ખુલાસો

કોમેડિયન કૃષ્ણા અભિષેકનો વિવાદ તેના મામા સાથે દિવસે દિવસે વધી રહ્યો છે. મીડિયામાં એકબીજા પર પ્રહારથી લઈને તમામ વસ્તુ પર આ સંબંધમાં હવે નાટકિય વળાંક જોવા મળી રહ્યો છે. ગોવિંદાએ તો ઘણી વખતે પોતાનો ગુસ્સો ઠાલવી દીધો છે. હવે કૃષ્ણા તરફથી આ મુદ્દા પર વિસ્તારથી વાત કરવામાં આવી છે. અભિનેતાએ જણાવ્યું, તે ખુબ જ પરેશાન રહે છે. તેમને લાગે છે કે તે કહેવા કંઈ માંગે છે અને તેનો મતલબ કંઈક બીજો જ કાઢવામાં આવે છે.
કૃષ્ણા અભિષેકે જણાવ્યું, ગોવિંદા સાથે તેમના સંબંધ ખાસ સારા નથી રહ્યા. તે કહે છે કે, મેં તો મારા મામાને લઈને ઘણી વખત વાત કરી છે. ઘણી વખત હું કંઈ કહું છું પરંતુ બતાવવામાં માત્ર અડધું જ આવે છે. મને બહુ જ ખરાબ લાગે છે. જે વસ્તુ મારા દીલની નજીક હોય છે તે વાતને હું મારા નજીકનાઓ સુધી પહોંચાડી શકતો નથી. માત્ર ખોટી શંકા રહે છે. નાની વાતોને પણ મોટી કરીને બતાવવામાં આવે છે. મને તો એ પણ લાગે છે કે નેગેટિવ રિપોર્ટના કારણે જ મામા ગોવિંદા સાથે મારા સંબંધો ખરાબ થયા છે.
કૃષ્ણાએ કહ્યું, તે ઘણી વખત ઈંસ્ટાગ્રામ લાઈવ કરવાનું વિચારે છે. તેમને લાગે છે કે તે સીધા જ પોતાની વાત કરી દે. પરંતુ અભિનેતાને એ પણ બરાબર નથી લાગતું. જો આવું કરીશ તો ચહાકો હેરાન થઈ જશે. આશ્ચર્યમાં પડી જશે અને વિવિધ પ્રકારના મતલબ કાઢવા લાગશે.
હવે કૃષ્ણાએ તો ગોવિંદા સાથેના ખરાબ સંબંધોને ખોટી શંકાનું નામ આપ્યું છે. પરંતુ ગોવિંદાની નજરમાં તેમનો ભાણીયો ઘણી વખત સીમા પર કરી ચૂક્યો છે. ગોવિંદાએ કહ્યું, કૃષ્ણા એક સારો છોકરો હતો, મને નથી ખ્યાલ કે તે આ કોણ તેમની પાસે કરાવી રહ્યું છે. હવે તે આવું કરીને તે મારી મજાક તો ઉડાવે જ છે સાથે-સાથે લોકોમાં મારી છબી પણ ખરાબ કરી રહ્યો છે.

Related posts

૨૪ વર્ષ પછી જોવા મળશે જિતેન્દ્ર-જયાપ્રદાની જોડી

aapnugujarat

કેન્ડલ જેનર બ્રાલેસ રહેવામાં માને છે : હેવાલ

aapnugujarat

કિમ કરદાશિયા ન્યુડ ફોટો શુટ કરવા ખુબ વધુ ઇચ્છુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1