Aapnu Gujarat
રાષ્ટ્રીય

વેક્સિનેશનથી કોરોનાની બીજી લહેર પર લગામ લગાવી શકાય છે : હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવું છે કે કોરોના વાયરસને રોકવા માટે નાઇટ કર્ફ્યુ અને શનિવાર-રવિવારે લગાવવામાં આવતા કર્ફ્યુ વધુ અસરદાર નહીં. તેમનું માનવું છે કે, વેક્સિનેશનથી કોરોનાની બીજી લહેર પર લગામ લગાવી શકાય છે. જણાવી દઇએ કે દેશમાંથી હાલના દિવસોમાં કોરોનાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યા છે. શુક્રવારે કોરોનાના અંદાજિત ૬૦ હજાર નવા દર્દી મળ્યા છે.
એક કૉનક્લેવમાં હર્ષવર્ધને કહ્યું કે, ફિઝિકલ ડિસ્ટેન્સિંગથી વાયરસને પ્રસારને રોકી શકાય છે, પરંતુ આંશિક લૉકડાઉન જેમ કે નાઇટ કર્ફ્યુ અને અઠવાડિયાના અંતમાં લગાવવામાં આવતા લૉકડાઉનની વધુ અસર નથી થતી. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર રસીકરણ અભિયાનને ઝડપી કરવા પર વિચાર કરી રહી છે. રસી માટે ઉંમરની મર્યાદા ઘટાડવામાં આવી રહી છે.
હર્ષવર્ધને એમ પણ કહ્યું કે, સરકાર હવે કોરોના જેવી મહામારીથી લડવા માટે પહેલાના મુકાબલે હવે વધુ સારી રીતે તૈયાર છે. હાલ દેશમાં ૬ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. આ વેક્સિનનું ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. તેવામાં આશા દર્શાવાઇ રહી છે કે દેશને જલ્દીથી વધુ વેક્સિન મળી જશે. હાલ ભારતમાં ૨ વેક્સિન ઉપલબ્ધ છે.
હર્ષવર્ધને કહ્યું કે, કોવેક્સિન અને કોવિશીલ્ડ બન્ને વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પ્રતિરોધક છે. દેશમાં ઉપયોગમાં લેવાઇ રહેલા આના ડોઝની સુરક્ષાને લઇને હજુ સુધી કોઇ ચિંતાની વાત સામે નથી આવી. હર્ષવર્ધને કહ્યું કે, જ્યાં આવા કેસ સામે આવ્યા છે, તે દેશોની સરકારો દ્વારા આવા મામલાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભારતમાં રસીકરણ બાદ આડઅસરના તમામ કેસ દેખરેખ સારી અને મજબૂત રીતે કરવામાં આવી છે.

Related posts

ધાર્મિક ભાવનાઓ પછી, જીવવાનો અધિકાર સૌથી ઉપરઃ સુપ્રિમ કોર્ટ

editor

વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ અતીક અહમદ ચૂંટણી નહીં લડે

aapnugujarat

યોગી ધ્રુવીકરણ માટે બ્રાન્ડ હિન્દુત્વના ચહેરા તરીકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1