Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીર મુદ્દાને લઈને કેન્દ્ર સરકારે અતિવાદી વલણ અપનાવ્યુંઃ પી. ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કાશ્મીર મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર અતિવાદી વલણ અખત્યાર કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ટિ્‌વટ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકારના અતિવાદી વલણને કારણે કાશ્મીરની સમસ્યા ઘણી વધી ગઈ છે. ચિદમ્બરમે પોતાની વાત રજૂ કરવા માટે એક શ્રૃંખલામાં ઘણાં ટિ્‌વટ કર્યા છે. તેમણે ક્હ્યુ છે કે ઘણાં સમયથી તેઓ કહી રહ્યા છે કે કાશ્મીર મુદ્દો અથવા સમસ્યા એક ઘા છે. કાશ્મીર ખીણના લોકો બે અતિવાદી સ્થિતિઓમાં ફસાયેલા છે. જેવું કે આતંકવાદીઓએ અતિવાદી વલણ અપનાવી રાખ્યું છે, તેને પણ નકારવું જોઈએ. તેવી જ રીતે કેન્દ્ર સરકારે પણ અતિવાદી વલણ અપનાવ્યું છે. આ સમસ્યા વધવાની છે. આ બંને વચ્ચે જમ્મુ-કાશ્મીરના લોકો ભોગ બની રહ્યા છે.

Related posts

મોદી સરકાર લોકપાલ નીમવા તૈયારઃ ૧ માર્ચે સિલેકશન કમિટીની બેઠક

aapnugujarat

દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં મોદીની લોકપ્રિયતા ઘટી

editor

ત્રિપલ તલાક બિલ આવતીકાલે સંસદમાં રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1