Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં પાણીની પાઈપલાઈન ફાટતાં  બે બાળકોનાં મોત

મુંબઈના બાન્દ્રા ઉપનગરના ઈસ્ટ ભાગમાં આવેલા બેહરામપાડા મોહલ્લામાં આજે સવારે પાણીની ૭૨ ઈંચની મોટી પાઈપલાઈન ફાટતાં એનું પાણી આસપાસની ઈન્દિરા નગર ઝૂંપડપટ્ટીના અનેક ઝૂંપડાઓમાં ઘૂસી ગયું હતું જેને પરિણામે બે બાળકનાં કરૂણ મોત થયા હતાં. આ દુર્ઘટના બાન્દ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પરિસરમાં બની હતી. પાઈપલાઈન ફાટતાં પાણી એટલા જોરદાર પ્રવાહ સાથે વહેવા માંડ્યું હતું કે બે નાનાં બાળકો એમાં તણાઈ ગયા હતા. મૃતક બાળકનું નામ વિજ્ઞેશ દોઈફોડે છે, જે આઠ મહિનાનો હતો. એની સાથે એની બહેન પ્રિયંકા દોઈફોડે (૯) પણ પાણીમાં ડૂબી ગયા હતાં. બંનેને નજીકની વી.એન. દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં પણ બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

Related posts

प्रियंका ने पूर्वी यूपी के प्रभारी महासचिव का पदभार संभाला

aapnugujarat

INX मीडिया केस: चिदंबरम को गिरफ्तार करने की ED ने मांगी अनुमती

aapnugujarat

નાણાં મંત્રી આજે બજેટ રજૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1