અમદાવાદ શહેરમાં રોડલાઈનનો અમલ કરવાના ભાગરૂપે આજે નવા પશ્ચિમઝોનમાં આવેલા ભૂયંગદેવ ક્રોસરોડથી મેમનગર તરફ જવાના રસ્તા ઉપર આવેલી ૧૭ જેટલી દુકાનો અને ૧૦ જેટલા પાર્ટી પ્લોટની ઓફિસો મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ રોડને ૩૦ મીટરનો કરવાના ભાગરૂપે તોડી પાડવામાં આવી છે.આ અંગે નવા પશ્ચિમઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહે એક વાતચીતમાં કહ્યુ છે કે,મુળ જુના ગ્રીન બેલ્ટની આવેલી આ જગ્યામાં વગર પરવાનગીએ ૧૭ જેટલી દુકાનો અને ૧૦ જેટલા પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા ગેરકાયદેસર ઓફિસો બાંધી દેવામાં ્આવી હતી.આ તમામને વખતો વખત મ્યુનિસિપલ તંત્ર તરફથી બાંધકામ દુર કરવા નોટિસો પણ આપવામાં આવી હતી આમ છતાં આ દબાણો દુર કરવામાં ન આવતા આજરોજ કોન્ટ્રાકટના મજુરો,જેસીબી સહીતના સાધનોની મદદથી આ બાંધકામોને દુર કરવામાં આવ્યા છે.આ બાંધકામો દુર થવાથી ચાર રસ્તા પરના ટ્રાફિકનું ભારણ હળવું થશે આવનારા સમયમાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો દુર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ