Aapnu Gujarat
ગુજરાત

લીંબડીના જનસાળીએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લાગ્યા

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, કહેવામાં આવે તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સરકાર શ્રી દ્વારા તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ નહીં આવતા ગ્રામ્ય કક્ષાએ અનેક પ્રશ્નો એ માઝા મૂકી તેમજ પ્રજામાં રોષ ભભૂકી ઊઠયો
લીબંડીના જનસાળી ગામે ભોગાવો નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હોવાની આશંકાએ ગ્રામજનો દ્વારા સીએમ ઓફીસ કલેકટર શ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.
કોઈપણ જાતની રોકટોક કે સરકારશ્રીના ડર વગર ભૂમાફિયાઓ દ્વારા માટીનું ખનન ખાનગી કંપનીએ વેચવાનું ચાલી રહ્યું છે
ક્યારે સરકાર શ્રી દ્વારા આ કોભાંડો માં કાયદેસર કાર્યવાહી કરી અને જનસાળી ગામના લોકોને ન્યાય ન મળે તો જનસાળી ગામ લોકો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જેના લીધે તંત્ર હરકતમાં આવ્યું.હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં સરકાર શ્રી દ્વારા વણ ઉકેલાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ તે ચર્ચાએ જોર પકડ્યું

Related posts

નરોડા : લકી ડ્રોના નામે નિર્દોષ નાગરિકોની સાથે ઠગાઈ

aapnugujarat

ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા સ્થગિત, અન્ય ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

editor

નર્મદા જિલ્લાની ૫૦ જેટલી શાળાઓમાં યોજાયો લર્નિંગ આઉટકમ મેળો : ૧૦,૫૦૦ જેટલા વાલીઓ-વિદ્યાર્થીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1