પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,આમ આદમી પાર્ટી દ્વારા સૂરત મહાનગર પાલિકામાં મળેલી જીતના પગલે ગોધરામાં જશ્ન મનાવાયો હતો.જેમા આમ આદમી પાર્ટીના કાર્યકતાઓએ ગોધરા શહેરના રસ્તા પર એકબીજાને મોઢુ મીઠુ કરાવ્યુ હતુ.
ગુજરાતની મહાનગર પાલિકાના ચુટણી પરિણામોમા ભાજપને જીત મળી છે.સાથે આ વખતે દિલ્લીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટીએ પણ ચુટણીમાં ઝંપલાવ્યુ હતું, અને નગરપાલિકાની ચુટણીમા પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.સુરતમા આમઆદમી પાર્ટીએ ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો છે.આમ આદમી પાર્ટીએ અન્ય મહાનગર પાલિકામા જીત મેળવી શકી નથી પણ સુરત મહાનગર પાલિકામા સારી એવી સફળતા મળી છે.તેમ કહી શકાય.ગુજરાતમા
તેમને પોતાનું ખાતુ ખોલ્યુ છે.