જાસપુરથી અમારા સંવાદદાતા મહેશ અસોડિયા જણાવે છે કે જાસપુરના મનુભાઇ ધુળાભાઈ સોલંકી ઓરિસ્સાથી કિસાન આંદોલનમાં પ્રોટેકેશન ડયુટી માટે દિલ્હીમાં તૈનાત હતા. તે દરમિયાન ચાલુ ફરજે ગંભીર માંદગી થઈ તેમ છતાં તેમને ફરજ પર તહેનાત રહ્યા.તબિયત વધારે બગડતા જરોદા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ ત્યાં તેમની તબિયત વધારે લથડતા તેમને ગુંડગાવ ખાતે આવેલી સિગ્નેચર હોસ્પિટલમા શિફ્ટ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.તેમના મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર ગ્રામજનો અશ્રુભીની આંખે અંતિમ યાત્રામાં જોડાયા હતા.
પાછલી પોસ્ટ