માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે લીંબડી સથવારાની ભોજનશાળા ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિના હોદ્દેદારો અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ ભગીરથસિંહ રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત રાજય અધ્યક્ષ નિલેષ જોષીના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઉપાધ્યક્ષ સુરત જિલ્લો આમંત્રિત મહેમાનો તરીકે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ગુજરાત રાજય મહામંત્રી દુષ્યંતસિંહરાજ, કોમલબેન ત્રિવેદી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ મહિલા વિંગ અને વિવિધ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મહંત શ્રી લલિત કિશોર શરણ બાપુએ જણાવ્યું હતું કે તમે આખા ગુજરાતમાં ફરો મુશ્કેલીના સમયમાં લીંબડીની પ્રજા જેટલો પ્રેમ તમને ક્યાંય જોવા નહી મળે ભૂકંપ થી માંડી કોરોનાની મહામારી સુધી લીંબડીના લોકો સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા છે, આ પ્રસંગે તેઓએ લીંબડીની પ્રજા દ્વારા કરવામાં આવેલી સેવાથી પ્રવૃત્તિની સરાહના કરી હતી અને તેઓની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી, લીંબડીની ગૌરવવંતી પ્રજા દરેક કપરા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરી તેની સામે પોતાનાં આત્મબળ, ધીરજ, જોશ ઉત્સાહ, ઝનુનથી અગ્રેસર રહી મુશ્કેલીઓમાંથી પોતે પાર ઉતરી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અન્ય લોકોને પણ તેમાંથી ઉગારી લેવાની એક તાકાત ધરાવે છે એટલે જ આવા કપરા સમયમાં લીંબડીએ કોરોના જેવી વૈશ્વિક મહામારીને માત આપી છે તેમજ આ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળકોને થતા અન્યાય અને તેઓની ફરજ અને હક, માટે તાલુકા કાનૂન સેવા સત્તા મંડળના કાયદાવિદ કરિશ્માબેન, શ્રી. ડી. કે. પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતાં અને કાનુની શિબિરને સંબોધન કરી હતી અને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ શ્રી ભગીરથસિંહ રાણા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખશ્રી ઈલેશ ખાંદલા, ઉપ પ્રમુખ શ્રી સુબોધ જોષી, જિલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર, તાલુકા ઉપપ્રમુખ ડી.યુ. પરમાર, તાલુકા પ્રમુખ ફારુખભાઈ ઠીમ દ્વારા આ વિશેષ સમારંભનું આયોજન કરવામા આવ્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)