Aapnu Gujarat
ગુજરાત

વઢવાણા ખાતે પક્ષીઓની ૨૯મી વસ્તી ગણતરી સંપન્ન

ગુજરાતમાં વિદેશી યાયાવર પક્ષીઓના આગમન માટે જાણીતા બનેલા વઢવાણા તળાવ ખાતે ૨૯મી પક્ષી ગણના સંપન્ન થઈ હતી. સવાર-સાંજ બે સત્રમાં કરવામાં આવેલી પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી અધિકારી, નિવૃત્ત અધિકારી, સહિત સ્વૈચ્છિક સંસ્થાના ૧૩૦ જેટલા સ્વયં સેવકો જોડાયા હતા. આ પક્ષી ગણનાના આંકડા વન્ય પ્રાણી વિભાગ, વડોદરા દ્વારા આવતીકાલે જાહેર કરવામાં આવશે. યુરોપીય સહિતના દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે તે વઢવાણા તળાવ વડોદરાના ડભોઈ તાલુકામાં અને વડોદરાથી ૪૦ કિ.મી. દૂર આવેલ છે. વઢવાણા તળાવનો સમગ્રલક્ષી ચિતાર આપતા નાયબ વન સંરક્ષક બી. આર. વાઘેલા કહે છે કે, વર્ષ ૧૯૦૮માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા માટે વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ તળાવનો બંધ-પાળો ૧૩ કિમી લાંબો છે અને ૯૫૦ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. તાજેતરમાં વઢવાણા તળાવમાં કાયમી માટે પાણી ભરાયેલ રહે તે માટે નર્મદા કેનાલ સાથે લિંકઅપ કરવામાં આવ્યું છે.યાયાવર પક્ષીઓના આવાગમનમાં વાતાવરણની મહત્વની ભૂમિકા રહેલી છે. આપણો શિયાળો યુરોુપીય દેશની સરખામણીમાં ઘણો હુંફાળો હોય છે. એટલે ખાસ યુરોપીય દેશો, કઝાખિસ્તાનથી યાયાવર પક્ષીઓ અહીંયા શિયાળો ગાળવા આવે છે અને આપણે અહીંયા માઈનસ ડિગ્રીમાં તાપમાન જતું નથી. આમ અહીંનું વાતાવરણ યાયાવર પક્ષીઓને ખૂબ અનુકૂળ આવે છે. યાયાવર પક્ષીઓના આગમનનો સમય સુનિશ્ચિત હોય છે તે ક્યારેય સમય ચૂકતા નથી પણ ક્યારેક વાતાવરણમાં પલટો, ધ્વનિ પ્રદુષણ, યુદ્ધની સ્થિતિ વગેરે જેવા સંજોગોમાં તેમના આગમનમાં અનિશ્ચિતતા જોવા મળે છે તેમજ માનવ વસતી ગણતરીનો એકત્રિત માહિતી જે રીતે લોકોના સામાજિક-આર્થિક વિકાસમાં ઉપયોગી થાય છે તેવી જ રીતે પક્ષી ગણના પક્ષીઓના સંરક્ષણ અને કુદરતને સમજવામાં મદદરૂપ બને છે. જાંબુઘોડાના આર.એફ.ઓ. અને વડોદરાના ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક એચ.ડી. રાઉલ કહે છે કે, પક્ષીઓની વસ્તી ગણતરી માટે ૯૫૦ એકરમાં ફેલાયેલા વઢવાણા તળાવને ૧૩ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. શક્ય તેટલા ચોક્કસ પક્ષીઓની ગણનાના આંકડા મેળવવા માટે તળાવમાં આ ૧૩ ઝોનની સીમા નિર્ધારણ માટે ઝંડી લગાવવામાં આવી છે. આ ૨૯મી પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી-અધિકારી, નિવૃત્ત અધિકારી ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના ૧૩૦ સ્વયં સેવકો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો-સ્વયં સેવકોના સહયોગથી કરવામાં આવી હતી. ૧૪ ટુકડીઓમાં વિભાજિત અધિકારીઓ-સ્વયં સેવકોને ૧૪ ટુકડીઓ બનાવવામાં આવી હતી. તેઓ બાઈનોક્લુયર (દૂરબીન) જેવા સાધનો અને પોતાની આગવી સૂઝબૂઝ અને નિરિક્ષણના આધારે અંદાજે રીતે પક્ષીઓની ગણના કરવામાં આવે છે.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

सूरत नगर निगम चुनाव, 64 सीटों के लिए भाजपा की ओर से 1041 दावेदार

editor

સુરતમાં સ્કૂલ વાનનો ઉપયોગ શબવાહિની તરીકે થઈ રહ્યો છે !!!

editor

વિકાસ આડે કોંગ્રેસનું રોડા નાંખવાનું કાવતરું : ભાજપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1